અમેરિકા અને ભારત વચ્ચે વેપારી સંબંધોમાં નવો વળાંક આવ્યો છે, જ્યાં અમેરિકાએ ભારતીય આયાત
પર વધારાના ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ પગલુ ભારતની રશિયા પાસેથી તેલ ખરીદી કરતું
હોવાના દંડના ભાગ રૂપે લગાવવામાં આવ્યો છે. જેને અમેરિકા યુક્રેન યુદ્ધને અસર કરતું માને છે. આ
ટેરિફથી ભારતના અર્થતંત્ર પર મોટી અસર પડી શકે છે, પરંતુ કેટલાક ક્ષેત્રોને છૂટ આપવામાં આવી છે.
આ વિવાદ વૈશ્વિક ઊર્જા બજાર અને રાજકીય તણાવને પ્રતિબિંબિત કરે છે, જેમાં ભારત પોતાના રાષ્ટ્રીય
હિતોને પ્રાથમિકતા આપી રહ્યું છે.
અમેરિકાએ આજે એક નોટીફીકેશન જાહેર કરી ટેરિફ વધવાની વાતને સ્પષ્ટ કરી દીધી છે. અમેરિકાએ
ભારતીય વસ્તુઓની આયાત પર 25% વધારાના ટેરિફની સત્તાવાર સૂચના જારી કરી છે, જે આજથી
12:01 વાગ્યે (ઇએસટી)થી અમલમાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ટેરિફ સત્તાવાર ટેરિફ જે 1 ઓગસ્ટથી
લાગુ થયો તેની સાથે લગાવવામાં આવ્યો છે. જેથી કુલ ટેરિફ 50 ટાક સુધી પહોંચી જશે. ટ્રમ્પ વહીવટી
તંત્રના જણાવ્યા મુજબ, ભારતની રશિયા તેલ ખરીદીથી મોસ્કોને યુક્રેન યુદ્ધ માટે આર્થિક સમર્થન મળી
રહ્યું છે. આ દર બ્રાઝિલ જેવા છે અને અન્ય એશિયા-પેસિફિક દેશો કરતા વધુ છે, જે ભારતના 87 અબજ
ડોલરના અમેરિકી નિર્યાતને અસર કરશે, જે જીડીપીના 2.5% જેટલું છે.
આ ટેરિફથી કપડા, રત્ન અને આભૂષણ, ચામડું, સમુદ્રી ઉત્પાદનો, રસાયણો અને ઓટો પાર્ટ્સ જેવા ક્ષેત્રો
સૌથી વધુ અસરગ્રસ્ત થશે. જોકે, ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડક્ટર્સ અને ઊર્જા સંસાધનો જેવા કેટલાક
વિસ્તારોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ પગલુ ભારતના નાના વેપારીઓ અને ઉદ્યોગો માટે
પડકારરૂપ છે, પરંતુ તે વૈશ્વિક વેપારની જટિલતાઓને પણ દર્શાવે છે.
ભારતના વિદેશ મંત્રાલયે આ 50% ટેરિફને અન્યાયી ગણાવ્યું છે અને કહ્યું છે કે રશિયા તેલ ખરીદી ઊર્જા
જરૂરિયાતો અને રાષ્ટ્રીય હિતોને આધારે છે, જેને અમેરિકા પહેલા પ્રોત્સાહિત કરતું હતું. તાત્કાલિક
પ્રતિસાદી ટેરિફને બદલે, ભારત કૂટનીતિક વાતચીત અને નિર્યાતકો માટે પ્રોત્સાહનો પર વિચાર કરી રહ્યું
છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં જાહેરસભામાં કહ્યું કે સરકાર આર્થિક દબાણને પાર કરીને
રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરશે અને ખેડૂતો, પશુપાલકો તેમજ માછીમારોના હિતોને કોઈ નુકસાન નહીં થવા
દે. તેમણે આત્મનિર્ભર ભારત અભિયાનને વધુ મજબૂત કરવાની વાત કરી.