Friday, February 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ભાવનગરમાં મ્યુ. કમિશનર ઉપાધ્યાય સાંજે ચાર્જ સંભાળશે

હવાઈ માર્ગે બપોરે ભાવનગર આવી પહોંચશે નવા કમિશનર

jatinsanghvi by jatinsanghvi
2022-08-25 11:14:28
in Uncategorized
Share on FacebookShare on Twitter


જતીન સંઘવી
ભાવનગર મહાપાલિકામાં કમિશનર તરીકે સુરત કોર્પોરેશનમાંથી મુકાયેલ આઇએએસ ઓફિસર એન.વી.ઉપાધ્યાય આજે ગુરુવારે બપોરે હવાઈ માર્ગે ભાવનગર આવી પહોંચશે અને કમિશનર પદનો કાર્યભાર સંભાળી લેશે. ઉલ્લેખનીય છે કે અગાઉ 33 કમિશનર ભાવનગરમાં ફરજ બજાવી ચુક્યા છે, ઉપાધ્યય 34માં કમિશનર રહેશે.મહાપાલિકાના તત્કાલીન કમિશનર એમ.એ ગાંધીની તા.6 ફેબ્રુઆરી 2020ના બદલી કરાયા બાદ કાયમી કમિશનરની પોસ્ટ 6 મહિનાથી ખાલી હતી જે આજે પુરાશે.


કમિશનરની ગેરહાજરીમાં કલેકટર યોગેશ નિરગુડેને ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને તેઓએ આજદિન સુધી કલેકટર ઉપરાંત કમિશનરનો ચાર્જ પણ વહન કરીને પોતાની કાર્ય ક્ષમતા પુરવાર કરી હતી. આજે કમિશનર ઉપાધ્યય હાજર થતા જ નીરગુડેને ચાર્જમાંથી મુક્તિ મળશે.

સુરતમાં કાર્યદક્ષ અધિકારી ઉપરાંત સેવાભાવી તરીકે જાણીતા છે નવા કમિશનર એન.વી. ઉપાધ્યાય

સુરત મહાપાલિકામાં ડે.કમિશનર તરીકે ફરજ બજાવતા ૨૦૧૩ની બેચના આઇ.એ.એસ. એન.વી. ઉપાધ્યાય કાર્યદક્ષ અધિકારી છે તેમજ સેવાભાવી તરીકે પણ છાપ ધરાવે છે. કોરોના કાળમાં લોકડાઉન સમયે તેમણે શ્રમિકોને ભોજન, રાશન કીટ પહોંચાડવી અને હોટસ્પોટ વિસ્તારમાં લોકજાગૃતિ કેળવવા સાથે પોતે કોરોનાથી સંક્રમિત થયા બાદ પ્લાઝમાં ડોનેટ પણ કર્યું હતું. તેઓને ઘણા સમય પૂર્વે પ્રમોશન અપાયું હતું પરંતુ પોસ્ટીંગ બાકી હતું. આખરે ભાવનગર મ્યુ. કમિશનર તરીકે તેમને પોસ્ટીંગ અપાયું છે. ભાવનગર મહાપાલિકામાં કમિશનરની ખુરશી છ મહિના કરતા વધુ સમય સુધી ખાલી રહ્યા બાદ આખરે નિમણૂંક થતા હવે અટકેલા કાર્યો આગળ વધશે અને ખાસ કરીને અધિકારી પાંખને નેતૃત્વ મળી રહેશે તો જિલ્લા કલેક્ટર ઉપરાંત મ્યુ. કમિશનરના ચાર્જમાંથી યોગેશ નિરગુડેને હાલ મુક્તિ મળી છે.

Previous Post

ગારીયાધારના લુવારા ગામમાં હારજીતનો ફુદડી જુગાર રમતા ૩ ઝડપાયા – પાંચ શખ્સો ફરાર

Next Post

દકાના ગામના બે શખ્સની ઈંગ્લીશ દારૂ ભરેલા વાહન સાથે ધરપકડ

jatinsanghvi

jatinsanghvi

Related News

Uncategorized

શિલોંગના લોકપ્રિય સાંસદ સિંગકોનનું ફૂટબોલ રમતી વખતે અચાનક ઢળી પડતા નિધન

February 20, 2026
Uncategorized

Az Amunra Casino Vélemények És Az Ügyfélszolgálat Minősége

January 26, 2026
Uncategorized

Rigorous Evaluation of Slot Game Performance: Ensuring Fairness Through Independent Testing

January 19, 2026
Next Post
દકાના ગામના બે શખ્સની ઈંગ્લીશ દારૂ ભરેલા વાહન સાથે ધરપકડ

દકાના ગામના બે શખ્સની ઈંગ્લીશ દારૂ ભરેલા વાહન સાથે ધરપકડ

સર્વોત્તમ ડેરીની ૨૧મી વાર્ષિક સાધારણ સભા વિશાળ સભાસદો સાથે મળી

સર્વોત્તમ ડેરીની ૨૧મી વાર્ષિક સાધારણ સભા વિશાળ સભાસદો સાથે મળી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.