ઓસ્ટ્રેલિયા સરકારે ગુનાહિત પ્રવૃત્તિઓ અને વિઝા નિયમોના ઉલ્લંઘન બદલ 15 ભારતીય નાગરિકોને
દેશનિકાલ કર્યા છે. આ તમામ લોકોને ખાસ ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ
એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. 25 થી 45 વર્ષની વયના આ નાગરિકોમાં સૌથી વધુ 9 લોકો
પંજાબના છે, જ્યારે બાકીના હરિયાણા, ઉત્તરાખંડ અને તેલંગાણાના રહેવાસી છે.
આ ભારતીયોને મુખ્યત્વે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી, વિઝા નિયમોનું ઉલ્લંઘન અથવા ઓસ્ટ્રેલિયન
સત્તાવાળાઓને સહકાર ન આપવા બદલ બહાર કાઢવામાં આવ્યા છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે
15 માંથી માત્ર 2 પાસે જ માન્ય પાસપોર્ટ હતા, જ્યારે બાકીના 13 ને ભારતીય દૂતાવાસ દ્વારા જારી
કરાયેલા ‘ઇમરજન્સી સર્ટિફિકેટ’ (વન-વે ટ્રાવેલ ડોક્યુમેન્ટ) પર પરત લાવવામાં આવ્યા છે.આ કેદીઓને
‘નૌરુ એરલાઇન્સ’ના ખાસ વિમાન દ્વારા પરત મોકલાયા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, ઘણા
કેદીઓનું વર્તન એટલું અસહયોગી હતું કે તેમને સામાન્ય મુસાફરોની ફ્લાઈટમાં મોકલવા સુરક્ષા માટે
જોખમી બની શકે તેમ હતું. આથી, વિમાનમાં વધારાના સુરક્ષાકર્મીઓ અને મેડિકલ સ્ટાફ રાખવો પડ્યો
હતો.પંજાબના સીએમ ભગવંત માને જણાવ્યું હતું કે સરકાર તપાસ કરશે કે આ લોકોના દસ્તાવેજો કોણે
અને કેવી રીતે તૈયાર કરાવ્યા હતા. હવે સરકારનો મુખ્ય હેતુ તેમને ગરિમાપૂર્ણ રીતે સમાજમાં પાછા
ભેળવવાનો અને પલાયન માટે જવાબદાર વ્યવસ્થાકીય સમસ્યાઓ ઉકેલવાનો છે.ડિપોર્ટ કરાયેલા લોકો
અને તેમના ગુનાઓ

