દેશભરમાં ગત ૦૩ મેના રોજ યોજાયેલી નીટ યુજીપરીક્ષા રદ કરવામાં આવી હતી. 23 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા રદ થયા પછી, પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓનો એક જ પ્રશ્ન હતો, શું પરીક્ષા ફરીથી લેવામાં આવશે? જોકે, નૅશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા હવે પરીક્ષાની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી છે. તેથી, પુનઃપરીક્ષા આપવા જઈ રહેલા તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી ઝડપી બનાવવા સલાહ આપવામાં આવે છે.નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા મેડિકલ પ્રવેશ પરીક્ષા 2026ને લઈને એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકારની મંજૂરી બાદ, પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દીધી છે.નવી જાહેરાત મુજબ, રી-એક્ઝામ હવે 21 જૂન, 2026, રવિવારના રોજ યોજવામાં આવશે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે, તેઓએ આ નવી તારીખની ખાસ નોંધ લેવી.
પરીક્ષા એજન્સીએ ઉમેદવારો અને વાલીઓને ખાસ અપીલ કરી છે કે સોશિયલ મીડિયા કે, અન્ય બિનસત્તાવાર સ્ત્રોતો પર આવતી અફવાઓથી દૂર રહેવું. પરીક્ષા સંબંધિત કોઈપણ સચોટ માહિતી માટે માત્ર સત્તાવાર ચેનલ્સ અને વેબસાઇટનો જ ઉપયોગ કરવો.
જો વિદ્યાર્થીઓને પરીક્ષા બાબતે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય, તો તેઓ સત્તાવાર માધ્યમો દ્વારા નૅશનલ ટેસ્ટિંગ એજન્સીનો સંપર્ક કરી શકે છે.





