અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, અમેરિકા અને ઇરાન વચ્ચેના આ ઐતિહાસિક શાંતિ
કરાર પર આગામી રવિવારે સત્તાવાર રીતે હસ્તાક્ષર કરવામાં આવશે. ટ્રમ્પે દાવો કર્યો છે કે આ
સમજૂતીથી વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની ખાડીને તાત્કાલિક ફરીથી ખોલવાનો
રસ્તો સાફ થઈ જશે.
સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ટ્રમ્પે આ આગામી સમજૂતીની સરખામણી પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના
કાર્યકાળમાં થયેલા પરમાણુ કરાર સાથે કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જૂના માળખાથી વિપરીત
આ નવી ડીલ એ સુનિશ્ચિત કરશે કે ઇરાન પરમાણુ હથિયારો વિકસાવવાથી સંપૂર્ણપણે પ્રતિબંધિત
રહે.અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પર સહમતિ બની ગઈ છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આની
જાહેરાત કરી છે. આ સાથે જ ટ્રમ્પે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા હોર્મુઝની સામુદ્રધુની (સ્ટ્રેટ ઓફ
હોર્મુઝ) ને દુનિયાભરના વેપારી જહાજો માટે સંપૂર્ણ રીતે ખોલવાની અને અમેરિકન નૌસેના દ્વારા કરવામાં
આવેલી નાકાબંધીને પણ હટાવવાની જાહેરાત કરી દીધી છે.
ટ્રમ્પે કરારની જાહેરાત કરતા સોશિયલ મીડિયા પર લખ્યું, “ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાન સાથેની ડીલ
હવે પૂરી થઈ ગઈ છે. હું દરેકને અભિનંદન આપું છું!”
અમેરિકન પ્રમુખે કહ્યું, “આ ડીલની સાથે જ હું ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ને કોઈપણ રોકટોક વગર ખોલવાની
અને સાથે જ અમેરિકન નૌસેનાની નાકાબંધીને તાત્કાલિક હટાવવાની મંજૂરી આપું છું. દુનિયાભરના
જહાજો, તમારા એન્જિન ચાલુ કરો. તેલનો પુરવઠો શરૂ થવા દો!”ટ્રમ્પે એક અન્ય પોસ્ટમાં બંને દેશો
વચ્ચેના શાંતિ કરાર પર આવતા શુક્રવારે હસ્તાક્ષર (સાઇન) થવાની વાત કહી છે. તેમણે પોસ્ટમાં લખ્યું,
“આ શાનદાર ડીલ સમગ્ર વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા લાવશે. ઘણા પ્રમુખોએ ઇરાન સાથે શાંતિ
સ્થાપવાનો પ્રયાસ કર્યો છે અને મારા પહેલાના તમામ પ્રમુખો નિષ્ફળ રહ્યા છે. આ વિસ્તારના નેતાઓને
પહેલીવાર એવા પ્રમુખ મળ્યા છે જે તેમને સાચી શાંતિ મેળવવામાં મદદ કરી શકે છે. શુક્રવારે ડીલ પર
સાઇન થયા પછી સામુદ્રધુની ખુલવા અને વિસ્ફોટક સુરંગો હટાવવાના કામથી, આ વિસ્તાર અને દુનિયા
માટે બંને તરફથી ફરીથી તેલનો પુરવઠો શરૂ થઈ જશે!”જોકે, ઈરાન તરફથી આ શાંતિ કરાર પર હજુ
સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. ઈરાનની સમાચાર એજન્સીનું કહેવું છે કે ટૂંક
સમયમાં જ ‘સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ’ તરફથી અમેરિકા સાથેના યુદ્ધવિરામ કરાર અંગે
સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવશે.
એજન્સીનું એવું પણ કહેવું છે કે એ નક્કી કરવામાં આવ્યું છે કે ગલ્ફ દેશોમાંથી થતા દરિયાઈ પરિવહનને
ઈરાન, ઓમાન સાથે મળીને નિયંત્રિત કરશે. ઇરાનના કાનૂની અને આંતરરાષ્ટ્રીય બાબતોના નાયબ
વિદેશ મંત્રી ડો. ગરીબાબાદી એ પુષ્ટિ કરી છે કે ઈરાન અને અમેરિકા વચ્ચેના સમજૂતી કરારને આખરી
ઓપ આપી દેવામાં આવ્યો છે અને શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડમાં આના પર સત્તાવાર રીતે હસ્તાક્ષર કરવામાં
આવશે. આ સાથે જ તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે આ કરાર દુશ્મન પ્રત્યેના સક્રિય
અવિશ્વાસ પર આધારિત છે.આ પહેલા તેમણે કહ્યું કે અમેરિકન નૌસેના દ્વારા કરવામાં આવેલી
નાકાબંધીનો અંત આજ રાતથી શરૂ થઈ જશે. આ સાથે જ લેબનાન સહિતના ઘણા મોરચાઓ પર સૈન્ય
ઓપરેશન તાત્કાલિક અને હંમેશા માટે થંભી જશે.
નાયબ વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર, બેરૂતના દક્ષિણ વિસ્તારો પર ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા
હુમલાના જવાબમાં જવાબી કાર્યવાહીની તૈયારી કરી રહેલા ઇરાનની મુખ્ય શરતોમાંની એક શરત એ
હતી કે ઇઝરાયેલે કોઈપણ સંજોગોમાં દક્ષિણ લેબનાનમાંથી સંપૂર્ણપણે બહાર નીકળવું પડશે. બીજી તરફ,
ઇરાનની સર્વોચ્ચ સૈન્ય કમાન્ડે ગર્વથી કહ્યું કે દેશે અમેરિકાને ઝૂકવા માટે મજબૂર કરી દીધું છે.






