આગામી મહોરમ તથા રથયાત્રાના તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ અધિક્ષક ડો. નિતેષ પાંડેયની અધ્યક્ષતામાં એરિયા ડોમિનેશન અને ફૂટ પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં યોજાયેલા આ પેટ્રોલીંગમાં નાયબ પોલીસ અધિક્ષક આર.આર.સિંઘાલ, ગંગાજળિયાના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી.ચૌહાણ, ઘોઘારોડના એ.એન.દેસાઇ, નિલમબાગના ડી.પી.ઉનડકટ, બોરતળાવના એચ.બી.ચૌહાણ તેમજ ટ્રાફિક શાખાના ઇન્ચાર્જ પી.એમ.અમીન સહિત વિવિધ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટરો અને સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.





