અલંગ પોલીસ સ્ટેશનની ટીમે એક સગીરવયની પૂર્વ વિદ્યાર્થીનીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં સંડોવાયેલા શિક્ષકને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
૧૬ જૂન ૨૦૨૬ના રોજ ફરિયાદીએ અલંગ પોલીસ સ્ટેશનમાં આવીને રજુઆત કરી હતી કે, તેમની સગીર દીકરીનું કરણભાઇ વિનોદભાઇ પરમાર નામના શિક્ષકે અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું છે. આ અંગે ગુનો નોંધીને તપાસ અલંગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ.દેસાઇએ સંભાળી હતી. તેમણે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી યોગ્ય માર્ગદર્શન આપી આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.
અલંગ પોલીસની ટીમે ગણતરીની કલાકોમાં જ આરોપી કરણભાઇ વિનોદભાઈ પરમાર (ઉં.વ. ૩૦, રહે. રોહીદાસનગર, કરકોલીયા રોડ, સાઇબાબા મંદિર પાસે, શિહોર, જિ.ભાવનગર) ને પકડી પાડ્યો હતો અને તેની સામે કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.





