21 જૂન સમગ્ર વિશ્વ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે ભાવનગર જિલ્લા ભારત સંઘ અને દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સંયુક્ત ઉપક્રમે તા.20 ને શનિવારના રોજ પૂર્વ સંધ્યાએ સાંજે 5 30 થી 7-15 દરમિયાન વિશ્વ યોગ દિવસની ઉજવણી દક્ષિણા મૂર્તિ બાલપમરાટ ખાતે કરવામાં આવશે.
પ્રતિ વર્ષની પરંપરા મુજબ જુદી જુદી શાળાના 200 જેટલા સ્કાઉટ ગાઈડ , રોવર રેંજર અને શિક્ષકો ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલ થીમ ” Yoga for Healthy Ageing ” ને ધ્યાનમાં રાખી ધ્યાન, પ્રાણાયામ બેસીને તેમજ ઉભા ઉભા થઈ શકે તેવા સરળ આસનો સૂર્ય નમસ્કાર કરવામાં આવશે પીએમ શ્રી શાળા નંબર 69ના સ્કાઉટ ગાઈડ વિદ્યાર્થીઓ દ્વારા યોગની દર્શન પણ કરવામાં આવશે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટના માર્ગદર્શનમાં સિનિયર સ્કાઉટ ગાઈડ અને શિક્ષકો જેમ ઉઠાવી રહ્યા છે.



