‘એક દેશમેં દો વિધાન, દો નિશાન, દો પ્રધાન નહીં ચલેગા’ના આર્શદ્રષ્ટા અને કલમ ૩૭૦ હટાવવાના સ્વપ્નદ્રષ્ટા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના નિર્વાણ દિવસને દેશવાસીઓ ‘બલિદાન દિવસ’ તરીકે ઉજવે છે. આ અંતર્ગત ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહના માર્ગદર્શન હેઠળ શહેર કાર્યાલય સહિત તમામ બુથ સ્તરે શ્યામાપ્રસાદ મુખર્જીની તસ્વીરને પુષ્પાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત જનપ્રતિનિધિઓ, વરિષ્ઠ આગેવાનો અને બુથ સ્તરના કાર્યકર્તાઓએ શ્યામાપ્રસાદજીના દેશહિતના કાર્યો અને જીવન કવનને યાદ કરી, પુષ્પાંજલિ અર્પી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.





