ગુજરાતના આદિવાસી નેતા ચૈતર વસાવાના સમર્થનમાં આજે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા તળાજા શહેરમાં એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ‘આપ’ના મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા. કાર્યકરોએ શહેરના મુખ્ય માર્ગો પર ફરીને સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાની માંગણીઓ રજૂ કરી હતી.રેલી દરમિયાન કાર્યકરોએ આદિવાસી નેતા ચૈતર વસાવાને તાત્કાલિક ન્યાય મળે અને તેમની રજૂઆતોને સરકાર દ્વારા ગંભીરતાથી લેવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી. સમગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન તળાજા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.






