દેશમાં ઘણી જગ્યાએ NIAના દરોડા ચાલી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ દરોડા ઘણા ગેંગસ્ટરોના અડ્ડા પર થઈ રહ્યા છે. છેલ્લી કેટલીક તપાસમાં ખાસ કરીને ISI અને ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે પંજાબના ગેંગસ્ટરોની સાંઠગાંઠ સામે આવી છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) પંજાબી ગાયક સિદ્ધુ મૂસે વાલાની હત્યા સાથે જોડાયેલી શંકાસ્પદ આતંકી ગેંગના સંબંધમાં દિલ્હી, NCR, હરિયાણા અને પંજાબમાં વિવિધ સ્થળોએ સર્ચ કરી રહી છે.