માનવ સેવા માટે ભાવનગર જિલ્લામાં કાર્યરત કંપનીઓ કોઇને કોઇ રીતે મદદરૂપ બનીને ઉપયોગી બનતી હોય છે. આજ કડીમાં તાજેતરમાં નિરમા કંપની દ્વારા જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં ઇન્ફેક્શન પ્રિવેન્શન, પાણીના ક્લોરીનેશન માટે, તેમજ વોટર સેનીટેશન એન્ડ હાઈજીન જાળવવાના ઉમદા હેતુથી ૧૧ મેટ્રિક ટન ૧૦% સ્ટ્રેન્થવાળું સોડિયમ હાયપો ક્લોરાઇટ સોલ્યુશન આપવામાં આવ્યું છે.
આ તબક્કે જિલ્લા આરોગ્યતંત્ર ભાવનગર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વતી જિલ્લા ક્વોલીટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડૉ મનસ્વિની માલવિયા, જિલ્લા એકેડેમિક મેડિકલ ઓફિસર ડો. સુનિલ પટેલ, ડૉ. ધવલ દવે અને ડ્ઢૈંઈર્ઝ્રં અમિત રાજ્યગુરુ દ્વારા નિરમા કંપનીને મોમેન્ટો અને આભાર પત્ર આપવામાં આવ્યો હતો. આ તબક્કે નિરમા કંપની વતી ડૉ. પરાગ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.