Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હજુ ‘કેશ જ કીંગ’

નોટબંધીના 6 વર્ષે રોકડ સરકયુલેશન રેકોર્ડ સ્તરે

aaspassdaily by aaspassdaily
2022-11-07 12:19:01
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કાળાનાણાં બહાર લાવવા લાગુ કરાયેલી નોટબંધી અને રોકડ વ્યવહારો રોકવા માટે ‘ડીજીટલ’ને વેગ જેવા ઘટનાક્રમો વચ્ચે પણ ‘રોકડનો લગાવ’ અકબંધ છે. 21 ઓકટોબરે રોકડ નાણાનું સરકયુલેશન 30.88 લાખ કરોડ પર પહોંચી ગયુ છે જે અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે છે. નોટબંધીના છ વર્ષ પછી પણ રોકડ નાણાનું ચલણ ભરપુર હોવાની સાબીતી છે. 4 નવેમ્બર 2016ના પખવાડીયાની સરખામણીએ પ્રવર્તમાન રોકડ 71.84 ટકા વધુ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ ભ્રષ્ટાચાર તથા કાળા નાણાંને ડામવાના ઉદેશ્ય સાથે નોટબંધીનું એલાન કર્યુ હતું અને રૂા.500 તથા 1000ના દરની નોટો પર પ્રતિબંધ મુકી દીધો હતો. દેશમાં રોકડનું ચલણ ઘટાડવાનો પણ ઈરાદો હતો. આ પગલાને અર્થાત ખરાબ તથા સફળ થઈ ન શકે તેવુ ગણાવીને નિષ્ણાંતો-અર્થશાસ્ત્રીઓએ ટીકા પણ કરી હતી.ભારતીય રિઝર્વ બેંકે જારી કરેલા પખવાડીક રીપોર્ટમાં જણાવાયા પ્રમાણે 21 ઓકટોબરની સ્થિતિએ રોકડ ચલણ 30.88 લાખ કરોડના સ્તરે પહોંચ્યુ હતું તે નોટબંધી પુર્વે 4 નવેમ્બર 2016ના રોજ 17.7 લાખ કરોડ હતું.
રોકડ સરકયુલેશનનો અર્થ સામાન્ય લોકો દ્વારા રોજીંદી લેવડદેવડમાં તથા વેપારીઓ-સેવાક્ષેત્રમાં થતા રોકડ વ્યવહારો આવી જાય છે. કુલ રોકડમાંથી બેંકોમાં રહેલા નાણાંની બાદબાકીના આધારે લોકો પાસે રોકડ નાણાંનો આંકડો ખુલ્લો પડે છે. મહત્વની વાત એ છે કે છેલ્લા અમુક વર્ષોમાં રોકડને બદલે ડિજીટલ વ્યવહારોનો ટ્રેન્ડ વધ્યો છે. ડીજીટલ લેવડદેવડમાં વૃદ્ધિ હોવાની સાથોસાથ રોકડનો ઉપયોગ પણ સતત વધતો હોવાનું સાબીત થાય છે. રીઝર્વ બેંકના રીપોર્ટ પ્રમાણે નોટબંધી પછીના છ વર્ષોમાં લોકો પાસેની રોકડમાં 13.18 લાખ કરોડનો ધરખમ વધારો થયો છે
તેનો અર્થ એવો થાય છે કે છ વર્ષમાં રોકડમાં 71.84 ટકાની વૃદ્ધિ થઈ છે. રીપોર્ટમાં એમ કહેવાયુ છે કે જીડીપામાં ડીજીટલ પેમેન્ટનું પ્રમાણ વધ્યુ હોવા છતાં રોકડ ઘટી હોવાના કોઈ સંકેત નથી. જો કે, સામે મહત્વની વાત એ પણ છે કે સમગ્ર વર્ષમાં સૌથી વધુ રોકડ વ્યવહારો થાય છે તેવા દિવાળીના તહેવારોના પખવાડીયા દરમ્યાન રોકડ સરકયુલેશનમાં 7600 કરોડનો ઘટાડો થયો હતો. છેલ્લા 20 વર્ષમાં પ્રથમ વખત આવુ બન્યુ હતું. આ પુર્વે 2008-09ની આર્થિક મંદીને કારણે આ પ્રકારનો ઘટનાક્રમ સર્જાયો હતો.

Advertisement

બેંકોમાં રોકડ જમા કરાવવાના બદલે લોકો ઘરમાં જ સાચવે છે!

રિઝર્વ બેંકના પૂરક રિપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે 21 ઓકટોબર 2022ની સ્થિતિએ ભારતીય બેંકોની લોનબુકમાં 17.9 ટકાની વૃદ્ધિ થઈ છે જયારે થાપણ વૃદ્ધિદર 9.5 ટકા રહ્યો છે. ઓકટોબર પુર્વેના બે સપ્તાહ દરમ્યાન બેંક થાપણોમાં 60116 કરોડનો ઘટાડો થયો હતો. ઓકટોબરના પ્રથમ પખવાડીયામાં બેંકોની બાકી લોન 29086 કરોડ વધીને 128.89 લાખ કરોડ થઈ હતી તેનો સીધો અર્થ એવો થાય છે કે લોકો રોકડ રકમ બેંકોમાં જમા કરવાના બદલે ઘરમાં જ સાચવી રહ્યા છે.

Tags: cash circlution in india
Previous Post

UPDATE : ઇડબ્લ્યુએસ આરક્ષણને યોગ્ય: સર્વોચ્ચ અદાલત

Next Post

શિશુવિહાર સંસ્થા દ્વારા યોજાયો ૩૧મો વડીલ વંદના કાર્યક્રમ

aaspassdaily

aaspassdaily

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
શિશુવિહાર સંસ્થા દ્વારા યોજાયો ૩૧મો વડીલ વંદના કાર્યક્રમ

શિશુવિહાર સંસ્થા દ્વારા યોજાયો ૩૧મો વડીલ વંદના કાર્યક્રમ

શિવાજી સર્કલ નજીક ભુલી પડી નિલગાય…

શિવાજી સર્કલ નજીક ભુલી પડી નિલગાય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.