જૈન તીર્થનગરી પાલીતાણા ખાતે નવ્વાણું યાત્રા કરવા આવેલ યુવતીના મોબાઇલની ચોરી થતા પાલીતાણા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ રાજસ્થાનના બાડમેર શહેરમાં રહેતા કિરણબેન અશોકકુમાર જૈન ( ઉં.વ.૨૪ ) જૈન તીર્થનગરી પાલીતાણા ખાતે નવ્વાણું યાત્રા કરવા આવ્યા હતા અને પન્ના રૂપા ધર્મશાળા ખાતે રોકાયા હતા. ગઈ કાલે વરઘોડામાં ભીડ અને ધક્કામૂકીનો લાભ લઇ કોઈ અજાણ્યો ઈસમ તેમના પર્સમાં રાખેલ રૂ. ૬૭ હજારની કિંમતનો વનપ્લસ કંપનીનો મોબાઇલ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે કિરણબહેને અજાણ્યા ઇસમ વિરુદ્ધ મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવતા પાલીતાણા પોલીસે તપાસ હાથ ધરી છે.