ભાવનગરના ભોજપરા ગામમાં રહેતા આધેડને ખૂંટિયાએ ઢીંક મારતા આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના ભોજપરા ગામમાં રહેતા શાંતિભાઈ પરષોત્તમભાઈ ખેરાળાને ગઈ તા.૧ ના રોજ ગામમાં ખૂંટિયાએ ઢીંક મારતા તેમને સારવાર અર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે સર ટી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,જ્યાં તેમનું સારવાર દરમિયાન ગત મોડી રાત્રીના મોત નીપજ્યું હતું.ભાવનગરમાં થોડા દિવસ પહેલા રોડ ઉપર ગાય આડી ઉતરતા બુલેટ સવાર યુવાનનું મોત થયું હતું,ત્યારે ગામડામાં પણ ખૂંટિયાએ ઢીંક મારતા વધુ એક વ્યક્તિનો ભોગ લેવાયો છે.