બૃજભૂષણ શરણ સિંહ વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. ગઇકાલે મોડી રાત સુધી બેઠક ચાલ્યા બાયડ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રેસલિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મહિલા કુસ્તીબાજોના આરોપોને લઈને કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે.
કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ખુદ કુસ્તીબાજોના મુદ્દે આગેવાની લીધી હતી. હિમાચલ પ્રદેશથી પરત ફરતી વખતે તેમણે તેમના નિવાસસ્થાને ખેલાડીઓ સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે પણ વાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ આજે બૃજભૂષણ શરણ સિંહને ફોન કરી શકે છે. રમતગમત મંત્રી અને કુસ્તીબાજો વચ્ચેની બેઠક ખૂબ જ સકારાત્મક રહી હતી. આ સાથે જ આજે ફરીથી કુસ્તીબાજો સાથે બેઠક બોલાવીને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. એક દિવસ પહેલા જ રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને નોટિસ મોકલીને 72 કલાકમાં જવાબ માંગ્યો હતો.
મોડી રાત સુધી ચાલી બેઠક
મહત્વનું છે કે, ગઇકાલે મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં બજરંગ પુનિયા, રવિ દહિયા, બબીતા ફોગટ, વિનેશ ફોગટ, સાક્ષી મલિક અને અંશુ મલિક હાજર હતા. ખેલાડીઓના કડક વલણને કારણે બૃજભૂષણ શરણ સિંહ પર રાજીનામાનું દબાણ વધી ગયું છે. અગાઉ, ઓલિમ્પિક અને અન્ય આંતરરાષ્ટ્રીય મેડલ વિજેતા કુસ્તીબાજો ગુરુવારે બીજા દિવસે જંતર-મંતર પર ધરણા પર બેઠા હતા. આ તરફ પૂર્વ કુસ્તીબાજ બબીતા ફોગાટ કેન્દ્ર સરકાર વતી જંતર-મંતર પહોંચી અને વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી. તેમની સાથે બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સરકારના પ્રતિનિધિઓને મળ્યા હતા. મંત્રણામાંથી કોઈ નક્કર પરિણામ ન આવતાં કુસ્તીબાજોએ પત્રકાર પરિષદમાં નારાજગી વ્યક્ત કરી હતી.
IOA પ્રમુખ પીટી ઉષાએ શું કહ્યું ?
ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાએ ટ્વીટ કર્યું કે, ‘પ્રમુખ તરીકે હું કુસ્તીબાજોના આ મુદ્દા પર વધુ સભ્યો સાથે ચર્ચા કરી રહી છું. જો કોઈપણ રમતવીરને કોઈ સમસ્યા હોય તો તેણે તેની સમસ્યાઓ અમારી સાથે ચર્ચા કરવી જોઈએ.