ભાવનગર શહેર અને જિલ્લામા વસતા ભૂદેવોને એમ્બ્યુલન્સ સેવા મળે તે હેતુથી પ્રતીક્ષાબેન ત્રિવેદી તરફથી બ્રહ્મ ક્રાંતિ સંઘ પર પસંદગી ઉતારી શિવરાત્રી પર્વને દિવસે સંતો અને બ્રહ્મ બંધુઓની ઉપસ્થિતિમાં આ એમ્બ્યુલન્સ અર્પણ કરાઇ હતી.

બ્રહ્મ પરિવારમા આકસ્મિક બીમારી આવે તો 108ની સેવા લઇ શકાય છે પરંતુ હોસ્પિટલથી જ્યારે પરત આવે ત્યારે રિક્ષા કે અન્ય વાહનની વ્યવસ્થા કરવી પડે છે તેમજ વારંવાર મોટી ઉંમરના વડીલોને રૂટિન ચેકપ કે ડ્રેસિંગ માટે લઈ જવાના થાય છે ત્યારે પણ જો વાહનની સગવડ ન હોય તેવા પરિવારોને રિક્ષા ભાડા ખર્ચવા પડે છે તેવા લોકોની વ્યથાને ધ્યાનમાં લઇ ભાવનગર શહેરમા ભૂદેવોને ફ્રી સેવા મળે અને જિલ્લામા વસતા ભૂદેવોને વ્યાજબી ભાવે આનો લાભ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ એમન્યુલન્સમાં બ્રહ્મ બંધુને ડ્રાઇવર તરીકે રાખી તેને રોજગારી મળી રહે તેવું આયોજન પણ કરાયું છે, સંભવત ગુજરાતમાં આ પ્રથમ આયોજન છે.