ભાવનગરની મહિલાને રાજકોટમાં રહેતા દહેજ ભૂખ્યાં સાસરિયાએ ત્રાસ ગુજારી તેમજ પતિએ માર મારી ઘરમાંથી બહાર કાઢી મુકતા તેણીએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના ભરતનગરમાં આવેલ શ્રીનાથજીનગર, લક્ષ્મીનગર-૨, પ્લોટ નં.૨૫ માં રહેતા હેતલબેન આદિત્યકુમાર કારેલિયા (ઉં.વ.૩૬) એ મહિલા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, રાજકોટ ખાતે રહેતો દારૂ પીવાની ટેવ ધરાવતો તેનો પતિ આદિત્ય જગદીશભાઈ કારેલિયા દારૂ પીને મારકૂટ કરી ગાળો ભાંડતો હોય , જેણે તેણીના સાસુ મનો૨માબેન, સસરા જગદીશભાઈ પ્રભુદાસ કારેલિયા અને નણંદ અસ્મિતાબેન જગદીશભાઈ કારેલિયાની ચડામણીથી લગ્નમાં થયેલો ખર્ચ અને કરિયાવર ઓછો લાવી છો તેમ કહીં દહેજની માંગણી કરી મેણાં – ટોણાં અને માર મારી ઘરેથી કાઢી મૂકી,શારીરિક – માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આ બનાવ અંગે મહિલા પોલીસે આદિત્ય, મનોરમાબેન, જગદીશ અને અસ્મિતાબેન કારેલિયા (રહે. તમામ મનોર, પ્લોટ નં.૧૭, શેરી નં.૩, સિંચાઈનગર, એરપોર્ટ રોડ, રાજકોટ) વિરૂધ્ધ આઈપીસી ૪૯૮ એ, ૩૨૩, ૫૦૪, ૧૧૪ અને દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ ૩, ૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.