PM Kisan Latest News: હોળી પહેલા કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે. મોદી સરકાર તરફથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi) હેઠળ દેશના 8 કરોડ ખેડૂતોના ખાતામાં 16 હજાર કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. આ વખતે લગભગ 8 કરોડ ખેડૂતોને સરકાર દ્વારા 13મા હપ્તાનો લાભ આપવામાં આવ્યો છે. સરકારે આ રકમ DBT (Direct Benefit Transfer) દ્વારા લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરી છે.
રૂપિયા ના આવવાના ત્રણ કારણ
જો તમારા ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના રૂપિયા નથી આવ્યા, તો તમારી પાસે તેની સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ. રૂપિયા ન મળવાના મુખ્ય ત્રણ કારણો હોઈ શકે છે, પહેલું કારણ એ છે કે સરકાર દ્વારા ખેડૂતોને સતત ઈ-કેવાયસી કરાવવા માટે કહેવામાં આવતું હતું, પરંતુ જો તમે તેના પછી પણ ઈ-કેવાયસી ન કર્યું હોય તો તમારું નામ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવશે. બીજું કારણ એ હોઈ શકે કે, જો ભુલેખની ચકાસણીમાં જમીનનો રેકોર્ડ ખોટો જણાય તો તમારા ખાતામાં રૂપિયા મોકલવામાં આવ્યા નથી.
લિસ્ટમાં ચેક કરી લો તમારું નામ
તેનું ત્રીજું અને છેલ્લું કારણ એ હોઈ શકે છે કે તમે અરજી કરતી વખતે આધાર નંબર અથવા બેંક ખાતા સંબંધિત ખોટી માહિતી આપી હોય. જો બંને મેચ ન થાય તો પણ DBT દ્વારા તમારા ખાતામાં રૂપિયા આવ્યા ન હોત. જો તમને કોઈ પ્રકારની શંકા હોય તો તમે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઈટ પર જઈને તમારું નામ ચકાસી શકો છો. વેબસાઇટ પર આપેલા ફાર્મર કોર્નર પર ક્લિક કરો અને લિસ્ટમાં તમારું નામ ચેક કરો.
જો તમને કોઈપણ પ્રકારની શંકા હોય, તો તમે સત્તાવાર ઈમેલ આઈડી pmkisan-ict@gov.in દ્વારા સંપર્ક કરી શકો છો. આ સિવાય પીએમ કિસાન યોજનાની હેલ્પલાઇન 155261 અથવા ટોલ ફ્રી નંબર 1800115526 અથવા 011-23381092 પર સંપર્ક કરી શકાય છે. આપને જણાવી દઈએ કે, સરકારની આ મહત્ત્વાકાંક્ષી યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે.