ગુજરાતમાં મલેરીયાના કારણે છેલ્લા 5 વર્ષમાં 50 હજાર કેસો નોંધાયા છે જયારે આ સમયગાળામાં 4 લોકો મોતને ભેટ્યા છે.
મલેરિયાના કેસો પણ ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિએ જોવા મળી રહ્યા છે. એક તરફ લોકોમાં મચ્છરોને દૂર કરવાના હેતુસર નગરપાલિકા, મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે બીજી તરફ આ કેસોનો આંક ખૂબ વધી રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં 50 હજાર જેટલા કેસ એટલે એવરેજ વર્ષે 10 હજાર કેસે મલેરિયાના કારણે નોંધાઈ રહ્યા છે. જેમાં આ સમયગાળામાં લોકોના મોતનો આંકડો પણ 4 પર પહોંચ્યો છે.
મલેરીયાના કેસોમાં ગત વર્ષની વાત કરીએ તો 4766 કેસ નોંધાયા હતા જ્યારે અન્ય વર્ષોની સરખામણીએ આ આંક ઘટ્યો છે. જેમાં કેસોમાં વધુ ઘટાડો થાય એ પણ જરૂરી છે. જો કે, ગત વર્ષે મલેરિયાના કારણે મૃત્યુનો આંક પણ સામે નથી આવ્યો તે રાહતની વાત છે પરંતુ પાંચ વર્ષમાં 50 હજાર આંક એ ચિંતાજનક પણ હેલ્થની દ્રષ્ટીએ ચોક્કસથી કહી શકાય છે.
ગુજરાત સિવાય પશ્ચિમ બંગાળમાં દેશભરમાં નોંધાતા કેસોમાં સૌથી વધુ કેસો નોંધાયા છે. 2022માં પશ્ચિમ બંગાળમાં 40563 જેટલા કેસો નોંધાયા છે. જે અન્ય તમામ રાજ્યોની સરખામણીએ ખૂબ વધુ છે.
ગુજરાત – 2018 – 22114
ગુજરાત – 2019 – 13883
ગુજરાત – 2020 – 47771
ગુજરાત – 2021 – 4921
ગુજરા – 2022 – 4766
2022માં મેલેરિયાના સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યોમાં પશ્ચિમ બંગાળ 40563 સાથે ટોચ પર છે, છત્તીસગઢ 30028 સાથે બીજા ક્રમે છે, ઓડિશા 23770 સાથે ત્રીજા સ્થાને છે, ઝારખંડ 19129 સાથે ચોથા અને મહારાષ્ટ્ર 15437 સાથે પાંચમા સ્થાને છે.
2022માં ત્રણ રાજ્યોમાં એક મહિનામાં નોંધાયા આટલા કેસો
પશ્ચિમ બંગાળ – 40563
– છત્તીસગઢ – 30028
– ઓડિશા – 23770
– ઝારખંડ – 19129
– મહારાષ્ટ્ર – 15437
– ગુજરા – 4766