ગીર સોમનાથના તબીબ અતુલ ચગના આપઘાત મામલે સાસંદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ગીર સોમનાથ એસપીએ કહ્યું કે, સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા નારણભાઈનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે.
વેરાવળના ડૉક્ટર અતુલ ચગ આપઘાત કેસમાં જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢની ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા વિરુદ્ધ FIR થતા રાજકીય માહોલ ગરમાયો છે. મૃતકના દિકરા હિતાર્થની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડૉ.અતુલ ચગના આપઘાત કેસના ત્રણ મહિના બાદ પોલીસે ફરિયાદ નોંધી છે. મહત્વનું છે કે, ડૉક્ટર અતુલ ચગની સુસાઈડ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતાના નામનો ઉલ્લેખ હતો.




