સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસિયાનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. સાવરકુંડલાના શેલાણા નજીક વેગન આર કાર અને જે.સી.બી.વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે બાદ તેમને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પૂર્વ પૂર્વી કૃષિમંત્રી વી.વી.વઘાસિયા ના નિધનના પગલે વિધાનસભાના ઉપદંડક કૈશિક વેકરીયા, ધારાસભ્ય મહશ કસવાળા અને ભાજપના નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.
વી.વી. વઘાસિયા મંત્રી સિવાય અમરેલી ભાજપના જિલ્લા સંગઠનમાં મહત્વની કામગીરી કરેલી છે ઉપરાંત જૂનાગઢના પ્રભારી પણ તેઓ રહી ચુક્યા છે. સાવરકુંડલા નજીકના નાળ ગામ પાસે તેમની વાડી કામગીરી ચાલી રહી હતી જે પતાવીને તેઓ તેમના મિત્ર અશોકભાઈ રામજીભાઈ નારોલા સાથે પરત આવી રહ્યાં હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. તેમની સાથે આવી રહેલા અશોકભાઈને માથાના ભાગે ઈજા પહોંચી હતી. તેમના પરિવારમાં બે દિકરા અને એક દિકરી છે જેઓ સુરત રહે છે.





