મધ્યપ્રદેશમાં બાગેશ્વરધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના વિરોધીઓને ચેલેન્જ આપી છે. તેમણે કહ્યું કે ‘અમે અમારા ગુરુજીનાં પ્રતાપ અને બાલાજી સરકારનાં બળ પર પ્રણ લઈને કહીએ છીએ કે કોઈપણ ધર્મ કે પંથનો વ્યક્તિ આવીને અમારો સામનો કરી લે. અમે તેને લલકારીએ છીએ. ચમત્કાર દેખાડનારાને અમે પકડશું પણ નહીં અને ભીનો કરી દેશું.! તેથી અમારી પ્રાર્થના છે કે અમારી સામે આવો તો એટલું જ પૂછજો જેટલું તમે સાંભળી શકો. પછી ન કહેતાં કે ગુરુજીએ અમારી પોલ ખોલી દીધી.’
શાસ્ત્રીએ કહ્યું કે અમારી પાસે તો કોઈ તાકાત નથી પરંતુ ગુરુનો પ્રતાપ અને પ્રસાદ મળ્યો છે. તેનાં પ્રણ લઈને કહીએ છીએ કે સનાતન ધર્મનાં સંતોને છોડીને કોઈપણ વ્યક્તિ અમારો સામનો કરી લે. અમે એક વ્યક્તિને પણ પકડશું તો 25ને કરન્ટ લાગી જશે. મોઢું દેખાડવા લાયક નહીં છોડીએ. મને અમારા બાલાજી પર અને સન્યાસી બાબા પર વિશ્વાસ છે.




