દિલ્હી સાક્ષી હત્યા કેસના આરોપી સાહિલે પોલીસ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. સાહિલે પોલીસ પૂછપરછમાં કહ્યું હતું કે, તેને તેના કૃત્ય માટે કોઈ પસ્તાવો નથી. તેણે જણાવ્યું કે, સાક્ષીની ઘણા દિવસોથી તેની અવગણના કરી રહી હતી.
સોમવારે દિલ્હીની શાહબાદ ડેરીમાં 16 વર્ષની છોકરીની ચાકુ વડે નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હત્યારો આટલેથી પણ ન અટક્યો અને એક પથ્થર ઉપાડીને માથામાં હુમલો કર્યો. હત્યાની આ ભયાનક ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. દિલ્હી પોલીસે ઘટનાના એ જ દિવસે ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ સાહિલ તરીકે થઈ હતી. તે એસી અને ફ્રીજ રિપેરિંગનું કામ કરે છે.
ધરપકડ બાદ દિલ્હી પોલીસે આરોપીની પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. સાહિલે પોલીસને જણાવ્યું કે, તે બંને રિલેશનશિપમાં હતા અને તેને કોઈ અફસોસ નથી. તેણે કહ્યું કે સાક્ષી ઘણા દિવસોથી તેની અવગણના કરી રહી હતી, જેના કારણે તે ઘટના સમયે ગુસ્સે હતો. પૂછપરછ દરમિયાન સાહિલે જણાવ્યું કે હત્યા બાદ તે રિઠાલા ગયો જ્યાં તેણે હત્યામાં વપરાયેલ છરી છુપાવી હતી. આ પછી સાહિલ બુલંદશહર ગયો. બુલંદશહેર પહોંચવા માટે તેણે બે વાર બસ બદલી. સાહિલ બચવામાં હોશિયાર હતો પણ પોલીસે તેને પકડી લીધો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સાહિલે હત્યા બાદ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો, જે રીકવર કરવામાં આવ્યો છે.



