જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે સવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. અમૃતસરથી કટરા જઈ રહેલી બસ ઉંડી ખીણમાં પડી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જમ્મુ ડીસીએ આ માહિતી આપી છે. જો કે ઘાયલોની ચોક્કસ સંખ્યા હજુ જાણી શકાઈ નથી.
અમૃતસરથી કટરા જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે અને 55 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત જમ્મુથી લગભગ 30 કિલોમીટર દૂર જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવેના જજ્જર કોટલી વિસ્તારમાં થયો હતો. બસમાં વૈષ્ણો દેવીના મુસાફરો પણ હાજર હતા. આ અકસ્માત સવારે થયો હતો, ત્યારબાદ આસપાસના વિસ્તારના લોકો અને પોલીસકર્મીઓએ સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. જમ્મુના એસએસપી ચંદન કોહલીએ જણાવ્યું કે જમ્મુમાં બસ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને લગભગ 55 લોકો ઘાયલ થયા છે. તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. બચાવ કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે





