આજથી એટલે કે 1 જૂન 2023થી રાષ્ટ્રપતિ ભવન આમ આદમી માટે સપ્તાહમાં 6 દિવસ ખુલ્લું રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પહેલ પર રાષ્ટ્રપતિ ભવનને અઠવાડિયામાં 6 દિવસ સામાન્ય જનતા માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જૂનથી દર્શકો રાષ્ટ્રપતિ ભવન જોઈ શકશે. મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ ભવન માત્ર સોમવાર અને સરકારી રજાના દિવસે સામાન્ય લોકો માટે બંધ રહેશે.
રાષ્ટ્રપતિ ભવનમાં હાલમાં ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ જ ઉપલબ્ધ છે. રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતનો સમય સવારે 9:30 થી સાંજના 4:30 સુધીનો રહેશે. ઓનલાઈન બુકિંગની સુવિધા ઉપલબ્ધ થશે. આ દરમિયાન તમે સાત ટાઇમ સ્લોટમાં બુકિંગ કરી શકશો. રાષ્ટ્રપતિ ભવનનું મ્યુઝિયમ સંકુલ પણ મુલાકાતીઓ માટે મંગળવારથી રવિવાર સુધી ખુલ્લું રહેશે. સામાન્ય દર્શકો પણ દર શનિવારે રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં યોજાતા ચેન્જ ઓફ ગાર્ડ સમારોહનો આનંદ માણી શકશે. આ ફંક્શનનો સમય દર શનિવારે સવારે 8 થી 9 વચ્ચેનો રહેશે મહત્વનું છે કે, 330 એકર વિસ્તાર પર બનેલ, રાષ્ટ્રપતિ ભવનના આર્કિટેક્ચરને એડવિન લુટિયન્સ દ્વારા ભારતીય અને પશ્ચિમી બંને શૈલીમાં રાખવામાં આવ્યું હતું. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે..
રાષ્ટ્રપતિ ભવનમાં આ સ્થળોમાં જ ફરી શકશો
મુલાકાતીઓ રાષ્ટ્રપતિ ભવનમાં ફક્ત તે જ સ્થળોની મુલાકાત લઈ શકશે, જે મુલાકાતીઓ માટે પહેલેથી જ ખુલ્લા છે. રાષ્ટ્રપતિ ભવનના અધિકારીએ કહ્યું કે, મુલાકાતીઓએ અહીં આવવા માટે અગાઉથી ઓનલાઈન બુકિંગ કરવું પડશે. રાષ્ટ્રપતિ ભવનમાં લોકોને અલગ-અલગ સર્કિટમાં ફરવાની સુવિધા છે.
સર્કિટ 1- તેમાં રાષ્ટ્રપતિ ભવનની મુખ્ય ઇમારત અને કેન્દ્રીય લૉનનો સમાવેશ થાય છે. જેમાં અશોક હોલ, દરબાર હોલ, બેન્કવેટ હોલ અને ડ્રોઈંગ રૂમનો સમાવેશ થાય છે.
સર્કિટ 2- તેમાં રાષ્ટ્રપતિ ભવનના મ્યુઝિયમ સંકુલનો સમાવેશ થાય છે.
સર્કિટ 3 – પ્રસિદ્ધ અમૃત ઉદ્યાન (અગાઉ મુગલ ગાર્ડન તરીકે ઓળખાતું), હર્બલ ગાર્ડન, મ્યુઝિકલ ગાર્ડન અને રાષ્ટ્રપતિ ભવનના આધ્યાત્મિક બગીચાની મુલાકાત






