બિપરજોય સામેની પૂર્વ તૈયારીથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડાથી જાનહાની રોકવામાં સફળતા મળી છે. પરંતુ વૃક્ષો, વિજ માળખા વગેરેને વ્યાપક નુકશાન હોવાને પગલે મુખ્યમંત્રી તથા વડાપ્રધાન કચ્છ સહીતનાં અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કરશે.
સુત્રોના કહેવા પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોટાભાગે આજે જ કચ્છ સહીતનાં વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કરશે. આજે વાતાવરણને કારણે તે શકય ન બને તો આવતીકાલે એરીયલ સર્વે કરશે.આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આગામી 21 મીએ અમેરીકાનાં પ્રજાએ જતા પુર્વે કચ્છનું હવાઈ નિરિક્ષણ કરે તેવી શકયતા છે.




