દેશમાં નૈઋત્યનું ચોમાસુ રંગ જમાવવા લાગુ છે અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ સાથે હવામાન ખરાબ થતા અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે અને બદરીનાથ હાઈવે પણ બંધ થયા છે. ઉતરાખંડમાં ભારે વરસાદથી ભેખડો ધસી પડતા બદરીનાથ હાઈવે બંધ કરાયો છે.
રાજયના પીથોરાગઢ જીલ્લામાં ધારચુલામાં વાદળો ફાટવાના કારણે અત્યંત ભારે વરસાદથી નજીકના પુલ પણ તુટી પડીને પાણીમાં વહી જતા 200થી વધુ લોકો ફસાયા છે જેને ઉગારવા માટે એનડીઆરએફની ટીમોને રવાના કરવામાં આવી છે. હિમાચલમાં પણ કામકા સોતલ હાઈવે પર વરસાદના કારણે ભેખડો ધસી પડતા વાહનો થંભાવી દેવામાં આવ્યા હતા અને એક કાર દબાઈ ગઈ હતી. જો કે તેમાં પ્રવાસ કરતા લોકોને ઉગારી લેવામાં આવ્યા હતા.