ચંદ્રયાન 3 લેન્ડિંગ : ભારતે ઈતિહાસ રચ્યો છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો પ્રથમ દેશ બની ગયો છે. ચંદ્રયાન 3 ગુરુવારે સાંજે 06:04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું. વિક્રમ ચંદ્ર પર ઉતર્યો અને થોડી રાહ જોયા બાદ રોવર પ્રજ્ઞાન લેન્ડર વિક્રમમાંથી બહાર આવ્યું. પ્રજ્ઞાન જેણે ચંદ્રની સપાટી પર ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છાપ્યું હતું. જ્યારે આજે સવારે રોવર ફરી એકવાર ચંદ્ર પર ચાલી રહ્યું છે. ઈસરોએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.
ભારતનું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 સફળ રહ્યું છે. બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. રોવર પણ લેન્ડિંગના બે કલાક અને 26 મિનિટ પછી લેન્ડરમાંથી બહાર આવ્યું છે. ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરાણ કરીને ઈતિહાસ રચ્યો છે. 40 દિવસની લાંબી મુસાફરી બાદ બુધવારે ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું
ઈસરોએ ટ્વીટ કરીને ચંદ્રયાન-3એ આપેલા પહેલા સંદેશાની માહિતી આપતાં લખ્યું કે,” ભારત, હું મારા લક્ષ્ય પર પહોંચી ગયો છું અને તમે પણ!” આ સાથે જ ઈસરોએ લખ્યું કે,’ ચંદ્રયાન-3 એ ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ કરી દીધું છે. ખુબ-ખુબ અભિનંદન, ભારત!’






