રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે 8 હાઈકોર્ટ માટે 17 જજોની નિમણૂક પર મંજુરીની મહોર મારી છે, જ્યારે 16 જજોની બદલી પણ કરવામાં આવી છે. નોટિફિકેશન મુજબ આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં 4, બોમ્બે હાઈકોર્ટમાં અને કેરળ હાઈકોર્ટમાં 3-3, દિલ્હી હાઈકોર્ટ અને ત્રિપુરા હાઈકોર્ટમાં 2-2 તેમજ ગુજરાત, છત્તીસગઢ અને કર્ણાટક હાઈકોર્ટમાં 1-1 જજની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ હાઈકોર્ટના 16 જજોની બદલીની મંજૂરી પર પણ મહોર મારી છે.
નિમણૂક કરાયેલા 17 જજોની યાદી
આંધ્રપ્રદેશ હાઈકોર્ટ – હરિનાથ નુનેપલ્લી, કિરણમયી મંડાવ ઉર્ફે કિરણમયી કનાપાર્થી, સુમતિ જગદમ, ન્યાપતિ વિજય
બોમ્બે હાઈકોર્ટ – અભય જૈનારાયંજી મંત્રી, શ્યામ છગનલાલ ચંડોક, નીરજ પ્રદીપ ઘોટે
કેરળ હાઈકોર્ટ – જૉનસન જૉન, ગોપીનાથ યૂ ગિરિસ, સી.પ્રદીપ કુમાર
દિલ્હી હાઈકોર્ટ – એડિશનલ જજ તરીકે શલિંદર કૌર, રવિન્દ્ર જુડેજા
છત્તીસગઢ હાઈકોર્ટ – વકીલ રવિંદ્ર કુમાર અગ્રવાલ
કર્ણાટક હાઈકોર્ટ – વકીલ કે.વી.અરવિંદ
ત્રિપુરા હાઈકોર્ટ – ન્યાયિક અધિકારી બિસ્વજીત પાલિત, સબ્યસાચી દત્ત પુરકાયસ્થ
ગુજરાત હાઈકોર્ટ – ન્યાયિક અધિકારી વિમલ કનૈયાલાલ વ્યાસ