મહારાષ્ટ્રમાં મંગળવારનો દિવસ શક્તિ પ્રદર્શન અને આરોપ-પ્રત્યારોપનો દિવસ રહ્યો હતો. દશેરાના દિવસે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શક્તિ પ્રદર્શન કર્યુ હતું. લોકસભા ચૂંટણીના કેટલાક મહિના પહેલા બન્ને નેતાઓએ એક બીજા પર પ્રહાર કર્યા હતા. એકનાથ શિંદેએ પોતાના ભાષણની શરૂઆત દશેરાની શુભકામનાઓ સાથે કરી હતી પરંતુ તે પછી તેમણે ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કર્યા હતા. શિંદેએ કહ્યું કે મેદાન પર શિવસેનાની ભગવા લહેર જોવા મળી રહી છે. મીડિયાને અપીલ કરતા તેમણે જણાવ્યુ કે શિવસેના ક્યા છે. આઝાદ શિવસેનાનું આઝાદ સમ્મેલન આઝાદ મેદાન પર થઇ રહ્યું છે. જ્યાં બાલા સાહેબના વિચાર છે તે અમારા માટે શિવ તીર્થ છે.
શિંદેએ કહ્યું, “અસલી ગદ્દાર કોણ? જેને બાલા સાહેબના વિચાર સાથે ગદ્દારી કરી, જેને હિન્દુત્વ સાથે ગદ્દારી કરી અને ખુરશી માટે મતદારો સાથે બેઇમાની કરી. શિવાજી મહારાજને ભૂલી ગયા, શિવાજીના વાઘનખ પર શંકા કરી.” ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા શિંદેએ કહ્યું કે તેમને શિવાજીના આદર્શ છોડ્યા, અફઝલ ખાનને આદર્શ લઇ લીધા છે. એકનાથ શિંદેએ કહ્યું, “ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી બનવુ હતું પરંતુ બતાવવું નહતું, તેમના ચહેરા પર મત જાઓ, અંત સુધી જાહેર નહી થવા દે કે સીતાનું હરણ કરવા માટે રાવણે સાધુનો વેશ લીધો હતો, મુખ્યમંત્રી બનવા માટે ઉદ્ધવ ઠાકરેએ સંધિ સાધી રાખી હતી.”
બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ શિવાજી પાર્કમાં શિંદે સરકાર પર પ્રહાર કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “જલિયાંવાલા બાગની જેમ અંતરવાલી સરાટી ગામમાં મરાઠાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. એકનાથ શિંદેની સરકાર જનરલ ડાયરની સરકાર છે.” ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે 2024ની ચૂંટણીમાં એક પાર્ટીની સરકાર ના લાવો, ગઠબંધન સરકાર જ મજબૂત સરકાર હોય છે. પીવી નરસિમ્હા રાવ અને મનમોહન સિંહ આપણી સામે ઉદાહરણ છે. સાથે જ તેમણે કહ્યું કે આજે જે લોકો આપણા નેતાઓને તકલીફ આપી રહ્યાં છે, તે કાન ખોલીને સાંભળી લે કે અમારી સરકાર આવ્યા પછી કોઇને છોડવામાં નહીં આવે.