કામરાન અકમલે કહ્યું- પાકિસ્તાનને એક પણ મેચ ન જીતવી જોઈએ
એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલના નિષ્ણાત તરીકે, અકમલે કહ્યું કે ટીમ માટે સૌથી સારી બાબત એ છે કે તેઓ અહીંથી વધુ મેચ જીતશે નહીં. તેમણે તેમના સૂચન પાછળનું કારણ પણ સમજાવ્યું. અકમલે કહ્યું, “જો તમે પાકિસ્તાન ક્રિકેટમાં સુધારો કરવા માંગતા હો, તો સૌથી સારી બાબત એ છે કે હવે કોઈ મેચ ન જીતવી તો જ તેમનો અહંકાર દૂર થશે, જો તેઓ ફોર્મમાં આવવાનું શરૂ કરશે પછી તેઓ પુનરાવર્તન કરશે.”
બાબરની કેપ્ટનશીપ પણ દાવ પર
તમને જણાવી દઈએ કે પાકિસ્તાન પાંચમાંથી માત્ર બે મેચ જીતી શક્યું છે. આ સાથે જ તેને ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારત, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામેની હારને કારણે ચાહકો પાકિસ્તાની ટીમની ટીકા કરી રહ્યા છે. સાથે જ બાબરના નિર્ણયોની પણ તપાસ કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે વર્લ્ડ કપ બાદ તેની કેપ્ટન્સી પણ જોખમમાં મૂકાઈ શકે છે.