વાલ્મીકિ જયંતીનું મહત્ત્વ
પ્રસિદ્ધ ઋષિ મહર્ષિ વાલ્મીકિની જન્મજયંતી નિમિત્તે વાલ્મીકિ જયંતી ઊજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેઓ ભગવાન શ્રી રામના પરમ ભક્ત હતા. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, ઋષિ વાલ્મીકિ એ વ્યક્તિ હતા જેમણે દેવી સીતા જ્યારે અયોધ્યા રાજ્ય છોડીને જંગલમાં ગયા ત્યારે તેમને આશ્રય આપ્યો હતો. એટલું જ નહીં માતાએ તેમના આશ્રમમાં લવ-કુશને જન્મ આપ્યો હતો.
વાલ્મીકિ જયંતીને પ્રગટ દિવસ તરીકે પણ ઊજવવામાં આવે છે. આ દિવસ દ્વારા, લોકો તેમને યાદ કરે છે અને તેમના દ્વારા આપવામાં આવેલા જ્ઞાન અને શિક્ષણ માટે તેમનો આભાર વ્યક્ત કરે છે. તેઓ એવા મહાન સંત હતા, જેમણે રામાયણ દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ વિશે સમગ્ર દુનિયાને જણાવ્યું હતું.
આ રીતે ઊજવાય છે વાલ્મીકિ જયંતી
વાલ્મીકિ સંપ્રદાયના લોકો ઋષિ વાલ્મીકિની પૂજા કરે છે અને તેમને ભગવાનનું સ્વરૂપ માને છે. ઋષિ વાલ્મીકિને સમર્પિત સ્થળો અથવા તેમના મંદિરોને ફૂલોથી શણગારવામાં આવે છે. ઋષિ વાલ્મીકિને સમર્પિત સૌથી જૂના મંદિરોમાંનું એક તિરુવનમિયુર, ચેન્નાઈમાં આવેલું છે. આ મંદિર 1300 વર્ષ જૂનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઋષિ વાલ્મીકિએ પવિત્ર ગ્રંથ રામાયણ સમાપ્ત કર્યા પછી અહીં આરામ કર્યો હતો અને પછી તેમના શિષ્યોએ તે સ્થાન પર મંદિર બનાવ્યું હતું. આ શુભ દિવસ નિમિત્તે સાધકો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવે છે. સાથે જ, આ ખાસ દિવસે લોકો રામાયણના મંત્રો અને શ્લોકોનો જાપ કરે છે, જેના કારણે તેમને ભગવાન રામના સંપૂર્ણ આશીર્વાદ મળે છે.
(Disclaimer: પ્રિય વાચકો આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી અને સામગ્રીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવું જોઈએ. ઉપરાંત, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)