કોરોના કાળ ગયો પણ તેની અસર હજું યથાવત છે અને ખાસ કરીને તનાવ-આર્થિક ચિંતા અને પરિવારમાં વિખવાદ જેવી ઘટનાઓ વધી છે. જેના કારણે ગુજરાતમાં ઘરેલું હિંસામાં મદદ માટે લાઈફલાઈન જેવી બની ગયેલી ‘અભયમ’ હેલ્પલાઈનની કામગીરી પણ વધી છે.
અભયમ હેલ્પલાઈન આ પ્રકારે રોજના 276 કોલ મેળવે છે. સપ્ટેમ્બર સુધીમાંજ 74949 કોલ તેને મળ્યા હતા. કોવિડ કાળ બાદ આ સ્થિતિ સતત ખરાબ થઈ છે. અભયમના કોર્ડીમેનેટર ફાલ્ગુની પટેલ કહે છે કે, લોકડાઉનમાં ઘરેલું હિંસાનું પ્રમાણ વધી ગયું હતું. પતિ પુરા દિવસ ઘરમાં જ તેની એકબીજા પ્રત્યેની નારાજગી બહાર આવવા લાગી હતી પણ કોવિડ પછી પણ આ સ્થિતિ સતત વધી છે પછી તેમાં ઉમર-સામાજીક સ્ટેટસ કે પછી લગ્ન સંબંધી સમસ્યાઓજ નહી તમામ પ્રકારના કારણો તેમાં હોય છે.
2021માં આ પ્રકારની ફરિયાદો 20% વધી અને પછી તેમાં થોડો ઘટાડો થયો. ફરી 2023માં તે 17% જેટલા વધ્યા છે અને તે જ રીતે પોલીસ આવે પણ ઘરેલું હિંસાનો કેસ વધવા લાગ્યો છે. ઉપરાંત વ્યક્તિગત-સામાજીક અને આર્થિક સહિતના દબાણ વધ્યા છે. લગ્ન બહારના સંબંધો પણ વધ્યા છે. કારણ કે પતિની શરાબ પીવાની ટેવ પણ તેનું માનસીક વલણ બદલાવે છે અને તેમાં અભયમ એ એક તાત્કાલીક મળતી સુવિધા છે છતાં પણ હજું અડધા જ સામે આવે છે.