અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ઓલ્ડ પેન્શન અને પડતર પ્રશ્નો 9 ડિસેમ્બર શનિવારે પદયાત્રા કરી મહાપંચાયત યોજી આંદોલન કરશે.એક લાખથી વધારે શિક્ષકો સહિત કર્મચારીઓ પદયાત્રા કરશે. ગુજરાતના વિવિધ 11 સ્થળો પર મહાપંચાયતોનું આયોજન કરાયું છે.
વિધાનસભા ચૂંટણી પહેલા આંદોલનના સમાધાન સમયે સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવેલ અને હજુ સુધી ઠરાવ ન કરવામાં આવેલ 2005 પહેલાના ઓલ્ડ પેન્શન યોજના સહિત તમામ શિક્ષકો કર્મચારીઓને પેન્શન મળે તેમજ માગણી કરેલ નવ સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નોનો આંદોલનના પ્રથમ તબક્કા પછી પણ ઉકેલ ન આવતાં તમામ પ્રશ્નોનો સત્વરે ઉકેલ આવે એ હેતુથી ઠરાવ પસાર કરી સર્વાનુમતે આગામી નવ ડિસેમ્બરના રોજ પદયાત્રા કરી મહાપંચાયતોનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
મહેસાણા, હિંમતનગર, ગોધરા, વડોદરા, ખેડા, નવસારી, સુરત, ભાવનગર, જુનાગઢ, દ્વારકા, મોરબીમાં પદયાત્રા થશે. સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય, મુખ્ય શિક્ષક HTAT સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નો મહાનગર પાલિકાના પડતર પ્રશ્નો વાર્તાલાપ કરી નિકાલ ન આવે તો 9 ડિસેમ્બર 2023ના રોજ ગુજરાતના વિવિધ સ્થળો પર શિક્ષકો કર્મચારીઓ પદયાત્રા કરી વડાપ્રધાન,મુખ્યમંત્રી,શિક્ષણમંત્રી,મુખ્ય સચિવને જિલ્લા કલેક્ટરના માધ્યમથી આવેદનપત્રો આપવામાં આવશે.