Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભગવાનના દર્શન માટે આમંત્રણ જરૂરી નથી: કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ

ભાજપે ચૂંટણી લાભ માટે અધૂરા કાર્યે પ્રાણ પ્રતિષ્ઠા રાખી છે : મંદિરનું કાર્ય પૂર્ણ થયાનું શંકરાચાર્યજી જાહેર કરશે ત્યારે દરેક કોંગ્રેસી જશે

dharmendravaghela by dharmendravaghela
2024-01-12 11:39:24
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અયોધ્યામાં શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ નહીં થવાના કોંગ્રેસ મોવડીઓના નિર્ણય સામે પાર્ટીમાં જ આંતરિક વિરોધી સૂર ઉઠ્યો છે. જ્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એમ કહ્યું કે રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થયા બાદ દરેક કોંગ્રેસી અયોધ્યામાં ભગવાન શ્રીરામના દર્શનાર્થે જશે. ભાજપે રાજકીય લાભ મેળવવા જ અધૂરા કાર્યે પ્રાણ પ્રતિષ્ઠા યોજી છે.
જુનાગઢના કાર્યક્રમ માટે જઇ રહેલા શક્તિસિંહ ગોહિલે રાજકોટમાં ટુકું રોકાણ કર્યું હતું. 22મીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં જવાના કોંગ્રેસના નિર્ણયના વિવાદ વિશે તેઓએ એવો બચાવ કર્યો કે મંદિરનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા ન થઇ શકે તેવો અભિપ્રાય ખુદ શંકરાચાર્યજીએ દર્શાવ્યો છે. જ્યારે શંકરાચાર્યજી મંદિર નિર્માણ પૂર્ણ થયાનું જાહેર કરે ત્યારે ભગવાન શ્રીરામના દર્શન કરવા દરેક કોંગ્રેસી જશે.
તેઓએ એમ પણ કહ્યું કે આ કાર્યક્રમ ભાજપનો છે. બાકી ભગવાનના દર્શન કરવા માટે કોઇને આમંત્રણની જરુર હોતી નથી. દર્શન કરવા દરરોજ બધા લોકો મંદિરે જાય જ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસ વખતે ગયા હતાં. કોંગ્રેસ પક્ષ ભગવાન શ્રીરામ તથા દેશના લોકોની ભાવના સાથે જ હોવાનો દાવો કરતા તેમણે કહ્યું કે ચૂંટણી વખતે રાજકીય ઇવેન્ટનો અસ્વીકાર કરવામાં કાંઇ ખોટું નથી.
ભાજપ પર નિશાન સાધતા તેઓએ કહ્યું કે, ભવ્યતાથી આશિર્વાદ મળતા નથી. રાવણ પાસે ભવ્યતા હતી છતાં તેને ભગવાન પ્રાપ્ત થયા ન હતા. જ્યારે શબરી પાસે ભવ્યતા નહતી છતાં ભગવાનની પ્રાપ્તિ થઇ હતી. ભાજપ દ્વારા ચૂંટણી લાભ ખાટવા જ અધૂરા કાર્યે પ્રાણ પ્રતિષ્ઠા રાખી છે.

Tags: ram mandirshaktisinh gohil
Previous Post

લાલ સમુદ્ર યુદ્ધ મેદાનમાં ફેરવાયું

Next Post

પશ્ચિમ બંગાળમાં ફરીથી બે મંત્રિયોના ઘર પર દરોડા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
પશ્ચિમ બંગાળમાં ફરીથી બે મંત્રિયોના ઘર પર દરોડા

પશ્ચિમ બંગાળમાં ફરીથી બે મંત્રિયોના ઘર પર દરોડા

સમુદ્ર પર બનેલ ‘અટલ સેતુ’નું આજે ઉદ્ઘાટન

સમુદ્ર પર બનેલ ‘અટલ સેતુ’નું આજે ઉદ્ઘાટન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.