રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે લાંબા સમયનું સપનું હવે પૂર્ણ થઇ રહ્યું છે. આ સાથે જ મોહન ભાગવતે તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદને ‘ગુલામીનું પ્રતીક’ ગણાવી હતી. મહત્ત્વપૂર્ણ છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્ત્સવ યોજાવા જઇ રહ્યો છે.
RSSના વડા મોહન ભાગવતે બાબરી મસ્જિદનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ડિસેમ્બર 1992માં કાર સેવકો દ્વારા તેને તોડી પાડવામાં આવી હતી. વધુમાં મોહન ભાગવતે કહ્યું કે “ગુલામીનું પ્રતીક અયોધ્યામાં તોડી પાડવામાં આવ્યું હતું પરંતુ ત્યાં અન્ય કોઇ મસ્જિદને કોઇ નુકસાન થયું નહતું. કાર સેવકોએ તોફાનો પણ કર્યા નહતા.”
મોહન ભાગવતે કહ્યું, સમયની સાથે કેટલીક સંસ્કૃતિઓ સમાપ્ત થઇ ગઇ પરંતુ કેટલાક ઉતાર ચઢાવ છતા હિન્દૂ સંસ્કૃતિ બની રહી. RSSના વડાએ કહ્યું- “આટલી ભાષાઓ, દેવી-દેવતા, અલગ અલગ ધર્મ હોવા છતા ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી દરેક વ્યક્તિ આ જ માને છે કે આપણે એવી રીતે જીવવું છે દુનિયા તેને જોઇને જીવવાનું શીખે.”