રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ રવિવારે ભાવનગરના પ્રવાસે આવી રહ્યા છે જેઓ કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભાવનગરને ભેટ ધરશે. મુખ્યમંત્રીના પ્રવાસને લઈને વહીવટી તંત્ર દવારા તૈયારીનો ધમધમાટ હાથ ધરી દેવાયો છે. મુખ્યમંત્રી ભાવનગરમાં નવા રિંગરોડના ફેજ-૨નું ખાતમુહુર્ત કરશે ઉપરાંત નવી કલેક્ટર કચેરી વિદ્યાનગર ખાતે આકાર પામનાર છે જેનું ખાતમુહૂર્ત પણ તેઓ કરનાર છે, આ ઉપરાંત કોર્પોરેશનના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરનાર છે.
આગામી ૨૧મીએ ભાવનગરના સરદારનગર ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમ આયોજિત થયો છે જેમાં મુખ્યમંત્રી દ્વારા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૨૯૭ કરોડના ખર્ચે હાથ ધરાનાર રિંગરોડના ફેજ-૨ તથા ૩૦ કરોડ કરતા વધુ ખર્ચે વિદ્યાનગરમાં નવી બનનાર કલેક્ટર કચેરીનું ખાતમુહુર્ત કરશે. જયારે મહાપાલિકા દવારા તૈયાર થયેલા રૂ. ૧૪૧.૨૦ કરોડના વિવિધ ૧૪ કામોનું લોકાર્પણ કરશે તેમજ રૂ.૬૦.૭૦ કરોડના ખર્ચે હાથ ધરાનાર વિવિધ વિકાસ કામોનું ખાતમુહુર્ત મુખ્યમંત્રીના હસ્તે થનાર છે. આ ઉપરાંત રિજનલ મ્યુનિ. કમિશનર કચેરી દ્વારા આયોજીત વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ મુખ્યમંત્રીના હસ્તે થશે. મુખ્યમંત્રી ભાવનગરના સરકારી કાર્યક્રમ ઉપરાંત સોનગઢ ખાતે આયોજીત એક ધાર્મિક કાર્યક્રમમાં ઉપÂસ્થત રહેવાના છે.
મુખ્યમંત્રીના રવિવારના પ્રવાસના પગલે ભાવનગર વહિવટી તંત્રમાં તૈયારીનો ધમધમાટ જાવા મળી રહ્યો છે અને મિટીંગોનો દોર ચાલી રહ્યો છે.