લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપમાં પીએમ મોદી અને અમિત શાહ સહિતના નેતાઓએ અને કોંગ્રેસમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ પ્રચારની કમાન સંભાળી છે. પ્રિયંકા ગાંધી ફરી એકવાર ગુજરાતમાં પ્રચાર કરશે. વલસાડ બાદ હવે બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠક માટે 3 તારીખે લાખણીમાં જાહેરસભાને સંબોધશે. 5 તારીખે સાંજે પ્રચાર પડઘમ શાંત પડે તે પહેલા જ ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો વધુમાં વધુ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.