સુરતમાં ગઈકાલે આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી હતી અને ટેક્સટાઈલ ક્ષેત્રના જાણીતા ઐશ્વર્યા ગ્રૂપના 5 સ્થળે દરોડા પાડ્યા હતા. ત્યારે હવે આવકવેરા વિભાગે આગળની કાર્યવાહી કરી ઐશ્વર્યા ગ્રૂપના કુલ 12 સ્થળે દરોડાની કામગીરી હાથ ધરી છે. 100 થી વધુ અધિકારીઓની અલગ અલગ ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, અત્યાર સુધી અંદાજે 500 કરોડના હિસાબી ગોટાળા મળી આવ્યા છે. સાથે જ મસમોટી રોકડ, 5 બેંક લોકર્સ અને કરોડોના કિંમતી દાગીના કબજે કરવામાં આવ્યા છે. આ મામલે આઈટી વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થતા જ સુરતમાં આવકવેરા વિભાગ હરકતમાં આવ્યું છે અને મોટી કાર્યવાહી કરી છે. ગઈકાલે સુરતમાં ટેક્સટાઈલ ક્ષેત્રના જાણીતા ઐશ્વર્યા ગ્રૂપના 5 સ્થળે દરોડા પાડ્યા હતા. 40 થી વધુ અધિકારીઓની આવકવેરા વિભાગની ટીમ લગભગ એક સાથે જ 5 જગ્યાએ આ દરોડા પાડ્યા હતા અને આર્થિક નાણાકીય વ્યવહારોની તપાસ હાથ ધરી હતી. ત્યારે, હવે એવી માહિતી મળી છે કે અત્યાર સુધી ઐશ્વર્યા ગ્રૂપના 12 સ્થળે દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. આવકવેરા વિભાગના 100 થી વધુ અધિકારીઓની અલગ અલગ ટીમે આ કાર્યવાહી કરી છે. આવકવેરાના એક્શનથી કરચોરી કરનારાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.