Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મેઘરાજાએ 237થી વધુ તાલુકાઓમાં સટાસટી બોલાવી

dharmendravaghela by dharmendravaghela
2024-08-29 11:13:53
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગઈકાલે મેઘરાજાએ 237થી વધુ તાલુકાઓમાં સટાસટી બોલાવી છે, જ્યારે હજી પણ મેઘરાજા વરસી રહ્યા છે. સૌરાષ્ટ્ર પંથકના જિલ્લાઓમાં તો સાંબેલાધાર વરસાદ વરસતા લોકો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. જામનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વોર્ડ નંબર 2માં આવેલા પુનિતનગર વિસ્તારમાં લોકોના ઘર ફરતે પાણી ફરી વળતા 50 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. રેસ્ક્યૂ ટીમ સાથે ધારાસભ્ય રિવાબા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. ખેડાના મહેમદાવાદના સિંહુજ પાસે પાણીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાતા કારમાં સવાર પાંચ લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું.

વડોદરા : વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બનતા પૂરની સ્થિતિ સર્જાઈ

વડોદરા શહેરના આજવા ડેમમાંથી સતત છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બની છે અને એના પાણી આસપાસના કાંઠા વિસ્તારમાં ઘૂસી ગયાં છે. એને કારણે લાખો લોકો પોતાના ઘરમાં જ પુરાયેલા છે. ઘણા લોકો પૂરના પાણીમાં ફસાઇ ગયા હોય એવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે. તેમને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે. આર્મીની વધુ 3 કોલમ, એનડીઆરએફની 1 અને એસડીઆરએફની 1 ટીમ રેસ્ક્યૂ માટે ફાળવવામાં આવી છે. આ ટીમ ઉપરાંત વડોદરામાં અગાઉ આર્મીની 4 કોલમ, એનડીઆરએફની 4 તથા એસડીઆરએફની 5 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. તો શહેરમાં સતત 3 દિવસથી વરસતા વરસાદના પગલે અનેક વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થતા 1.25 લાખ મકાન અને 250 ગામડાંમાં અંધારપટ છવાયો છે.

Tags: floodgujaratheavy rainjamanagarvadodara
Previous Post

સૌરાષ્ટ્ર-કચ્છ માટે આજનો દિવસ પણ ભારે

Next Post

બળાત્કાર રોકવા બંગાળ સરકાર એક્શનમાં : નવો કાયદો લાવશે

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
બળાત્કાર રોકવા બંગાળ સરકાર એક્શનમાં : નવો કાયદો લાવશે

બળાત્કાર રોકવા બંગાળ સરકાર એક્શનમાં : નવો કાયદો લાવશે

કેનેડા સરકારની સામે ભારતીય વિધાર્થીઓનું વિરોધ પ્રદર્શન

કેનેડા સરકારની સામે ભારતીય વિધાર્થીઓનું વિરોધ પ્રદર્શન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.