Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

CBSEએ ઈસ્લામનો ઉદય અને મુગલ સામ્રાજ્ય સહિતના પાઠ હટાવ્યા

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત નવમાંથી 12 ધોરણ સુધીના પાઠ્યક્રમમાંથી કેટલાય ચેપ્ટર હટાવી દીધા

aaspassdaily by aaspassdaily
2022-06-25 05:43:38
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે શૈક્ષણિક સત્ર 2022-23ના નવમાંથી 12 ધોરણ સુધીના પાઠ્યક્રમમાંથી કેટલાય ચેપ્ટર હટાવી દીધા છે. આ સત્ર માટે સીબીએસઈની વેબસાઈટ પર નવો અભ્યાસક્રમ અપલોડ કરી દીધો છે. નવામાં કાવ્યખંડમાંથી ચંદ્રકાંત દેવતાલેનો પાઠ યમરાજ કી દિશા અને ગદ્ય ખંડમાંથી હજારી પ્રસાદ દ્વિવેદીનો પાઠ એક કુત્તા ઔર એક મેના તથા વિદ્યાસગર નૌટિયાલનો માટી પાઠ હટાવી દીધો છે.
અગિયારમાં ધોરણમાં ઈતિહાસની બુકમાંથી ઈસ્લામનો ઉદય અને બારમા ધોરણમાંથી મુગલ સામ્રાજ્ય હટાવી દીધું છે. સીબીએસઈએ નિશ્ચિત માપદંડ અનુસાર, દશમાં ધોરણમાંથી રાજનીતિ વિજ્ઞાનની બુકમાંથી અધ્યાય ચારમાં જાતિ, ધર્મ અને લૈંગિક મામલામાં ઉદાહરણ તરીકે આપવામાં આવેલી ફૈઝ અહમદ ફૈઝની શાયરીની હટાવી દીધી છે. 11માં ધોરણની વિશ્વ ઈતિહાસ નામની બુકમાંથી સેન્ટ્રલ ઈસ્લામિક લૈંડ અધ્યાયને હટાવી દેવામાં આવ્યો છે. આ અધ્યાયમાં વિદ્યાર્થીઓને ઈસ્લામના ઉદય અને વિકાસ, સાતમીથી બારમી સદીની વચ્ચે ઈસ્લામનો વિસ્તાર વિશે જાણકારી આપવામાં આવી હતી. આવી જ રીતે ધોરણ 12ના ઈતિહાસમાં નવમાં અધ્યાયમાં મુગલ સામ્રાજ્ય હટાવી દીધું છે. આ અધ્યાયનો અભ્યાસ નવા શૈક્ષણિક સત્રથી નહીં થાય. બોર્ડની નવી વ્યવસ્થા એક સાથે સમગ્ર દેશમાં લાગૂ કરવામાં આવી છે.
બોર્ડે 12માં ધોરણના પુસ્તકમાં પાષાણકાળમાં પૃથ્વી પર મનુષ્યનો ઉદય અને વિકાસ, ઔદ્યોગિક ક્રાંતિનો પાઠ્યક્રમ હટાવી દીધો છે. તેમાં ઈંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિના કારણે અને પ્રભાવ, સામ્રાજ્યવાદને કેવી રીતે પ્રોત્સાહન મળ્યું તેના વિશે શણાવટ કરવામાં આવી હતી.
હિન્દીમાં 12માં ધોરણમાંથી નમક પાઠને હટાવી દીધો છે.આ ઉપરાંત એન ફ્રેંકની ડાયરીના પન્નાને પણ હટાવી દીધા છે. દશમાં ધોરણમાંથી સર્વેશ્વર દયાલ સક્સેનાની માનવીય કરણાની દિવ્ય ચમક, જોર્જ પંચમ કી નાક, ઋતુરાજ કા કન્યાદાન પાઠને પણ હટાવી દેવામાં આવ્યો છે.

Tags: cbsedelhieducetion
Previous Post

આજે થશે નવા-જૂની: ઉદ્ધવનો હુંકાર, શિંદેનો પડકાર અને ભાજપની બીજા બારણેથી એન્ટ્રી

Next Post

રાજીનામું નહીં આપે ઠાકરે, પવાર સાથે મીટિંગ બાદ લેવાયો નિર્ણય

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા ભાજપે શિંદેને મહારાષ્ટ્રમાં 8 કેબિનેટ રેન્ક અને 5 રાજ્યમંત્રી રેન્કની ઓફર કરી

રાજીનામું નહીં આપે ઠાકરે, પવાર સાથે મીટિંગ બાદ લેવાયો નિર્ણય

ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી ખુદ ઇજાગ્રસ્તો માટે ૧૦૮ બન્યાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.