Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે 60 દિવસના યુદ્ધવિરામ કરાર

જો હિઝબુલ્લાહ કરારનું ઉલ્લંઘન કરે તો આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર ઈઝરાયલને આત્મરક્ષાનો અધિકાર હશે - જો બાઈડન

dharmendravaghela by dharmendravaghela
2024-11-27 11:37:48
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇઝરાયલની યુદ્ધ કેબિનેટે લેબનનમાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે 60 દિવસના યુદ્ધવિરામ કરારને મંજૂરી આપી છે. મંગળવારે મોડી રાત્રે આ અંગે કેબિનેટની બેઠક યોજાઈ હતી. ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામ યોજનાને પહેલા જ મંજૂરી આપી દીધી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને આ યુદ્ધવિરામને ‘સારા સમાચાર’ ગણાવ્યા છે. તેમણે વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાંથી સંબોધન કર્યું હતું. તેમાં તેણે કહ્યું કે ઈઝરાયલ અને લેબનનની સરકારોએ ‘ઈઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચેના વિનાશક સંઘર્ષને સમાપ્ત કરવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. બાઈડને કહ્યું કે બંને દેશો વચ્ચેની ડીલ હેઠળ લેબનન-ઈઝરાયલ બોર્ડર પર લેબનન સમય અનુસાર બુધવારે સવારે 4 વાગ્યે (ભારતીય સમય અનુસાર બુધવારે સવારે 7:30 વાગ્યે) યુદ્ધ બંધ કરવામાં આવશે.
બાઈડને આ પગલાને કાયમી યુદ્ધવિરામ માટે લેવાયેલું પગલું ગણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે હિઝબુલ્લાહ અને અન્ય આતંકવાદી સંગઠનોના જે પણ અવશેષઓ બાકી રહેશે તેને સહન કરવામાં આવશે નહીં. તેણે એમ પણ કહ્યું કે જો હિઝબુલ્લાહ અથવા અન્ય કોઈ કરારનું ઉલ્લંઘન કરે છે અને ઈઝરાયલ માટે ખતરો ઉભો કરે છે તો આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર ઈઝરાયલને આત્મરક્ષાનો અધિકાર હશે.
પીએમ નેતન્યાહુએ કહ્યું કે હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ આ સમયે સમયની જરૂરિયાત છે કેમ કે ઇઝરાયલી સેના હાલ ઈરાન સામેથી મળી રહેલાં પડકાર ઉપર ફોકસ કરવા માગે છે. તેમનું બીજું કારણ એ છે કે ઇઝરાયલી સેનાના હથિયાર સ્ટોકને વધારવાની જરૂરિયાત છે.
ઈઝરાયલના પીએમ નેતન્યાહુએ કહ્યું કે આમાં સંતાડવાની કોઈ વાત નથી કે હથિયારો અને ગોળા બારૂદની ડિલિવરીમાં ખૂબ જ સમય લાગી રહ્યો હતો. અમારે હજુ પણ વધુ અદ્યતન શસ્ત્રો પૂરા પાડવાના છે જેથી કરીને અમારા સૈનિકો સુરક્ષિત રહે અને અમે બમણા બળથી જવાબી કાર્યવાહી કરી શકીએ. તેમણે કહ્યું કે હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ પણ હમાસને અલગ કરવાનો એક માર્ગ છે. હમાસ શરૂઆતથી જ હિઝબુલ્લાહ પર નિર્ભર હતું. તે યુદ્ધમાં હિઝબુલ્લાહની મદદ લઈ રહ્યું હતું. હવે હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ બાદ તેમને અલગ કરી દેવામાં આવશે. આવી સ્થિતિમાં જો હિઝબુલ્લાહ યુદ્ધવિરામના નિયમોનું ઉલ્લંઘન કરીને હમાસને મદદ કરશે તો ઈઝરાયલ જવાબી કાર્યવાહી કરશે.

યુદ્ધવિરામ પહેલા ઇઝરાયેલે લેબનન પર હુમલો કર્યો, 10 લોકો માર્યા ગયા
યુદ્ધવિરામની જાહેરાતના થોડા કલાકો પહેલા જ ઇઝરાયેલે લેબનનની રાજધાની બેરૂત પર મિસાઇલ હુમલો કર્યો હતો, જેમાં 10 લોકો માર્યા ગયા હતા. આ પહેલા રવિવારે હિઝબુલ્લાહે ઈઝરાયલ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો. હિઝબુલ્લાહે આ હુમલા માટે 250થી વધુ મિસાઈલોનો ઉપયોગ કર્યો હતો. અહેવાલ મુજબ નેતન્યાહૂએ રવિવારે ઇઝરાયેલના અધિકારીઓ સાથે યુદ્ધવિરામ યોજના પર પણ ચર્ચા કરી હતી. ઇઝરાયેલે 27 સપ્ટેમ્બરે હિઝબુલ્લાહના વડા હસન નસરાલ્લાહને એક હુમલામાં માર્યો હતો. ત્રણ દિવસ પછી, ઇઝરાયેલે 1 ઓક્ટોબરની મોડી રાત્રે લેબનનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું.

Tags: ceasefirehezbollah & israelUSA
Previous Post

બેંગલુરુમાં પ્રેમિકાની ચાકુ મારીને હત્યા: યુવક એક દિવસ મૃતદેહ સાથે રહ્યો

Next Post

ગુજરાતમાં 7 જગ્યાએ BZ Group પર CID ક્રાઈમના દરોડા

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ગુજરાતમાં 7 જગ્યાએ BZ Group પર CID ક્રાઈમના દરોડા

ગુજરાતમાં 7 જગ્યાએ BZ Group પર CID ક્રાઈમના દરોડા

બાંગ્લાદેશમાં હિન્દુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસના વકીલની હત્યા

બાંગ્લાદેશમાં હિન્દુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસના વકીલની હત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.