Friday, July 11, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાહુલ ગાંધી, શું તમે પોતાની જાતને વોટની સાથે-સાથે મુસ્લિમોને સોંપી દીધી છે?

ગિરિરાજ સિંહે સુરતમાં કહ્યું, મસ્જિદ-દરગાહ સર્વે અને બાંગ્લાદેશના હિન્દુઓની હાલત માટે નેહરુ જવાબદાર

dharmendravaghela by dharmendravaghela
2024-11-29 11:29:00
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજ સિંહ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે ગિરિરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી તેમણે જવાહરલાલ નહેરુ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં તમેણે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તે મામલે રાહુલ ગાંધી અને ટુકડે ટુકડે ગેંગના લોકો કેમ કંઈ બોલી રહ્યા નથી. ભારતનો હિન્દુ સમાજ પૂછી રહ્યો છે શું તમે પોતાની જાતને વોટની સાથે સાથે મુસ્લિમોને સોંપી દીધી છે.
ગિરિરાજ સિંહે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર માટે નહેરુને જવાબદાર ગણાવ્યા. ડૉ. બાબા સાહેબ આંબેડકરે તેમના ‘ભારત વિભાજન’ પુસ્તકમાં લખ્યું હતું અને નહેરુને ટકોર કરી હતી કે ટોટલ પોપ્યુલેશનને પાકિસ્તાન ટ્રાન્સફર કરો અને જો નહીં કરો તો ભારતમાં સામાજિક સમરસતા નહીં થાય. આજે આ પરિસ્થિતિ જ આવી છે. તેમણે કહ્યું કે પહેલાં પાકિસ્તાનમાં હિન્દુ સમાપ્ત થયા અને હવે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. હિન્દુ મહિલાઓ પર અત્યાચાર, મંદિરોને તોડવા, લોકોની હત્યા કરવી અને ધાર્મિક આગેવાનોની ધરપકડ થઈ રહી છે. ભારત સરકારે તેને લઈને કડક વિરોધ પણ કર્યો છે. અમે તો વિરોધ પણ કર્યો. બંગાળમાં ત્રીપુરામાં અમારા લોકો તેના વિરોધમાં ઉભા પણ રહ્યા. પરંતુ રાહુલ ગાંધી અને ટુકડે ટુકડે ગેંગના લોકો હિન્દુઓ પર થતાં અત્યાચાર સામે કેમ કોઈ બોલી રહ્યું નથી. ભારતનો હિન્દુ સમાજ પૂછી રહ્યો છે કે, કેમ તમે પોતાની જાતને વોટની સાથે સાથે મુસ્લિમોને સોંપી દીધી છે?
પ્રિયંકા ગાંધી સંસદ સભ્ય બન્યા બાદ ગિરિરાજ સિંહે જણાવ્યું કે “ગાંધી પરિવારના તમામ લોકો રાજકારણમાં આવ્યા તો પણ ભાજપને કોઈ ચિંતાની જરૂર નથી. દેશ કે ભાજપને તેમની હાજરીથી કોઈ પડકાર નથી. “ગાંધી પરિવારના બધા સભ્યો આવી જાય તો પણ આપણે કોઈ તફાવત અનુભવતા નથી,” એમ તેમણે ઉમેર્યું.

આ લોકો સંભલમાં જે ઘટના બની તેવી સ્થિતિ અજમેરમાં પણ થાય તેવું ઇચ્છે છે

અજમેર શરીફ દરગાહ અને મસ્જિદના સર્વેને લઈને ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે, ભારત દેશનું દુર્ભાગ્ય રહ્યું છે કે, જવાહરલાલ નહેરુ દેશના પહેલા વડાપ્રધાન બન્યા. જો સરદાર પટેલ હોત તો આજે કોઈને પણ કોર્ટમાં જઈને સર્વે માટે અરજી કરવી ના પડતી. જવાહરલાલ નહેરુની તૃષ્ટીકરણની નીતિએ દેશને મુશ્કેલીમાં મુક્યો છે. જો આવી મસ્જિદોને પહેલાં જ હટાવી દેવામાં આવી હોત તો આવું થતું નહીં. પરંતુ કોઇએ કોર્ટમાં અરજી કરી અને કોર્ટે સર્વેનો આદેશ આપ્યો. કેટલાક લોકો કાનૂન માનતા નથી. આ લોકો સંભલમાં જે ઘટના બની તેવી સ્થિતિ અજમેરમાં પણ થાય તેવું ઇચ્છે છે. કોર્ટે સર્વે કરવા અજમેર સરકારને આદેશ આપ્યો છે. તો તેનાથી કોને તકલીફ છે? કેમ તકલીફ છે? કેટલાક રાજકીય લોકો, ટુકડે ટુકડે ગેંગ કહી રહી છે કે, દરગાહ અને ગુરૂદ્વારા… આમાં ગુરૂદ્વારા ક્યાંથી આવ્યું. અફવા ફેલાવવાનું કામ કેમ કરી રહ્યા છો. મુગલોના સમયમાં ગુરૂદ્વારાએ ભારતના હિન્દુઓને બચાવવાનું કામ કર્યું હતું.

Tags: giriraj singhRahul Gandhisurat
Previous Post

ભાવનગરના હલુરીયા ચોકમાં તંત્રએ ખોદેલા ખાડામાં ફસાયેલી ગાયને લોકોએ બહાર કાઢી

Next Post

ખ્યાતિકાંડમાં ફરાર આરોપી ડો. સંજય પટોળિયાની આગોતરા જામીન અરજી

dharmendravaghela

dharmendravaghela

Related News

જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે એક જ પરિવારના ત્રણના મોત
તાજા સમાચાર

જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે એક જ પરિવારના ત્રણના મોત

July 11, 2025
નબળી કામગીરી કરનારાઓને છોડવામાં નહિ આવે
તાજા સમાચાર

નબળી કામગીરી કરનારાઓને છોડવામાં નહિ આવે

July 11, 2025
બિલ્ડરોની લૂંટ સામે RERAના આંખ આડા કાન
તાજા સમાચાર

બિલ્ડરોની લૂંટ સામે RERAના આંખ આડા કાન

July 11, 2025
Next Post
ખ્યાતિકાંડમાં ફરાર આરોપી ડો. સંજય પટોળિયાની આગોતરા જામીન અરજી

ખ્યાતિકાંડમાં ફરાર આરોપી ડો. સંજય પટોળિયાની આગોતરા જામીન અરજી

BJP મરાઠા નેતાઓ પર પણ વિચાર કરી રહી છે? શાહના ઘરે મહારાષ્ટ્રના CM પર અઢી કલાક ચર્ચા

BJP મરાઠા નેતાઓ પર પણ વિચાર કરી રહી છે? શાહના ઘરે મહારાષ્ટ્રના CM પર અઢી કલાક ચર્ચા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.