Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આખરી જમીન બિનખેતી થઇ હશે તો પણ હવે ખેડૂત પ્રમાણપત્રથી ખેતીની જમીન ખરીદી શકાશે

આખરી જમીન પણ બિનખેતી થઇ ગઇ હોય તેઓને ફરી એકવાર ખેડૂત બનાવ માટેની તક ગુજરાત સરકારે આપી

dharmendravaghela by dharmendravaghela
2024-11-30 11:48:01
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

જે ખેડૂતોની પાસે રહેલી આખરી જમીન પણ બિનખેતી થઇ ગઇ હોય તેઓને ફરી એકવાર ખેડૂત બનાવ માટેની તક ગુજરાત સરકારે આપી છે. મુખ્યમંત્રીએ નિર્ણય જાહેર કરતાં જણાવ્યું કે, પોતાનાં ખાતાના સર્વે નંબર પૈકી આખરી સર્વે નંબર ધરાવતી જમીન બિનખેતી થઇ ગઇ હોય તે વ્યક્તિ પણ ખેડૂત પ્રમાણપત્ર મેળવવા એક વર્ષના ગાળામાં અરજી કરવા સક્ષમ બનશે. આ પ્રમાણપત્ર મળ્યા બાદ બે વર્ષના સમયમાં તેઓ ખેતીલાયક જમીન ખરીદી શકશે.
અગાઉ આવા ખેડૂતો જમીનવિહોણા થાય ત્યારે ફરી પ્રમાણપત્ર મેળવવાની કોઇ જોગવાઇ ન હોવાથી ખેડૂત મટી જતા હતાં. આવા કિસ્સામાં તેઓ ફરીથી ખેતીની જમીન ખરીદવામાં તેઓ મુશ્કેલી અનુભવતા હતા. આ ઉપરાંત સરકારી પ્રકલ્પોમાં સંપાદિત થયેલી જમીનોના માલિકો ગમે તેટલાં સમય પહેલા બિનખેડૂત થયા હોય તો તેઓ પણ ખેડૂત પ્રમાણપત્ર મેળવવા લાયક ઠરશે.
26 ડિસેમ્બર, 2008ના ઠરાવ અનુસારની વર્તમાન જોગવાઇ મુજબ સંપાદનમાં ગયેલી જમીનની તારીખથી એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવ્યા બાદ ત્રણ વર્ષમાં ખેતીની જમીન ખરીદવાની રહે છે. જો કે સરકારે પોતાના આ નવા નિર્ણયમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યની સ્થાપનાની તારીખથી લઇને હવે પછી ગમે ત્યારે સંપાદન થયેલી જમીનના તત્કાલીન ધારકો ખેડૂત પ્રમાણપત્ર માટે અરજી કરી શકશે અને ખેતીલાયક જમીન ખરીદી શકશે.
ખેડૂત મટી ગયા હોય તેવા ઘણાં અરજદારોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ પ્રશ્નની રજૂઆત કરી હતી. તે પછી તેમણે મહેસૂલ વિભાગ પાસે આવાં મુદ્દા અને તેની વ્યાપકતા અંગેનો ખ્યાલ મેળવી આ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ આ નિર્ણયથી ઘણાં ખેડૂતોને ફાયદો મળશે તેવી આશા વ્યક્ત કરી છે.
સરકારના ઠરાવ મુજબ ઉપરના બન્ને કિસ્સામાં અરજી મળ્યા પછી સંબંધિત જિલ્લા કલેકટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઇસ્યુ કરશે. આ માટે કલેક્ટરોએ પણ સમીક્ષા કર્યા બાદ બને તેટલો ઝડપી નિર્ણય લઇ પ્રમાણપત્ર આપવાના નિર્દેશ અપાયાં છે. બિનખેતીને કારણે જમીનવિહોણા થયેલી વ્યક્તિઓને ખેડૂત પ્રમાણ પત્ર મેળવવા સરકારે શરત મૂકી છે. આ શરત મુજબ ઠરાવ પ્રસિદ્ધ થયાની તારીખથી એટલે કે 29 નવેમ્બર, 2024થી એક વર્ષ પહેલાના સમયગાળામાં પ્રભાવિત થયેલા ખેડૂતો જ આ માટે અરજી કરવાપાત્ર ઠરશે. એટલે કે એવાં ખેડૂતો જેમની જમીન 30 નવેમ્બર, 2023 કે તે પછી બિનખેતી થઇ ગઇ હોય અને ખેતીની તમામ જમીન ગુમાવી હોય તેઓ જ આ નિર્ણયનો લાભ લઇ શકશે.

Tags: gujaratkheti jamin
Previous Post

મંડપ તૈયાર પરંતુ મુખ્યમંત્રી હજુ નક્કી નથી

Next Post

સુરત : આઈસક્રીમ ખાધા બાદ ત્રણ બાળકીના શંકાસ્પદ મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
સુરત : આઈસક્રીમ ખાધા બાદ ત્રણ બાળકીના શંકાસ્પદ મોત

સુરત : આઈસક્રીમ ખાધા બાદ ત્રણ બાળકીના શંકાસ્પદ મોત

બાંગ્લાદેશે ISKCONના 17 સભ્યોના બેંક ખાતા કર્યા ફ્રીઝ

બાંગ્લાદેશે ISKCONના 17 સભ્યોના બેંક ખાતા કર્યા ફ્રીઝ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.