બુધવારે સાંજે આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કાઉન્ટર પાસે ભાગદોડ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક મહિલા સહિત 6 લોકોનાં મોત થયા છે. જ્યારે 40 લોકો ઘાયલ થયા છે.
કાઉન્ટર પાસે આશરે 4 હજારથી વધુ ભક્તો લાઈનમાં ઉભા હતા. તે જ સમયે, ભક્તોને બૈરાગી પાટિડા પાર્કમાં લાઈનમાં ઉભા રહેવા માટે કહેવામાં આવ્યું હતું. આગળ જવાની ઉતાવળમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકો એકબીજા પર ચઢી ગયા. જેના કારણે અનેક લોકોને ગૂંગળામણ થઈ હતી.
મંગળવારે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ)ના એક્ઝિક્યુટિવ ઓફિસર જે શ્યામલા રાવે કહ્યું હતું કે વૈકુંઠ દરવાજા 10 જાન્યુઆરીથી વૈકુંઠ એકાદશીના દિવસે દર્શન માટે ખોલવામાં આવશે. આ માટે લોકો ટોકન લેવા માટે લાઈનમાં ઉભા હતા. આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ પણ અધિકારીઓ પાસેથી ફોન પર પરિસ્થિતિ વિશે માહિતી લીધી.