રવિવારે પાકિસ્તાનના સિંધમાં અજાણ્યા બંદૂકધારીઓએ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી રઝાઉલ્લાહ નિઝામાની ઉર્ફે અબુ સૈફુલ્લાહ ખાલિદની ગોળી મારીને હત્યા કરી દીધી. તે 2006 માં RSS મુખ્યાલય પર થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. સૈફુલ્લાહની અંતિમ નમાજ સિંઘમાં અદા કરવામાં આવી હતી.સૈફુલ્લાહ ખાલિદની જનાજામાં લશ્કરના ઘણા આતંકવાદીઓ હાજર હતા. તેના શરીરને પાકિસ્તાની ધ્વજમાં લપેટવામાં આવ્યું હતું, ત્યારબાદ લશ્કરના આતંકવાદીઓએ એક પછી એક નમાઝ-એ-જનાઝા અદા કરી.
પાકિસ્તાનમાં રહીને, તે લશ્કર માટે ભરતીનું કામ જોતો હતો, એટલે કે, તે આતંકવાદીઓની ભરતી કરતો હતો. ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાની સેના અને ISI એ પાકિસ્તાનમાં લશ્કરના ટોચના આતંકવાદીઓની સુરક્ષા વધારી દીધી છે. ઓપરેશન સિંદૂર પછી, લશ્કરે સૈફુલ્લાહને પણ ઘરની બહાર વધુ ન જવા કહ્યું. સૈફુલ્લાહની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી.તાજેતરમાં, પાકિસ્તાનના વિવિધ શહેરોમાં લશ્કરના વડા હાફિઝ સઈદના ઘણા નજીકના સાથીઓની હત્યા કરવામાં આવી છે. હાફિઝ સઈદના લાહોરમાં તેના ઘર પાસે આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં તે માંડ માંડ બચી ગયો હતો. ઓપરેશન સિંદૂરમાં, લશ્કરનું મુખ્ય મથક મુરીદકે ભારતીય સેનાનું નિશાન હતું અને તેને મિસાઇલથી ઉડાવી દેવામાં આવ્યું હતું.
આવી સ્થિતિમાં, હાફિઝ સઈદ અને તેના પુત્ર તલ્હા સઈદ સહિત ભારતના તમામ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની સુરક્ષા વધારવામાં આવી છે, પરંતુ પાકિસ્તાન સેના અને ISI દ્વારા તેમને વધુ મુવમેન્ટ ન કરવા સંદેશ પણ આપવામાં આવ્યો છે.સૈફુલ્લાહ પહેલા, ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અબુ કતલ, જે હાફિઝ સઈદ સાથે પડછાયાની જેમ રહ્યો હતો, તે પણ પાકિસ્તાનમાં માર્યો ગયો હતો. 16 માર્ચે પાકિસ્તાનમાં અબુ કતલની હત્યા કરવામાં આવી હતી. તે લશ્કરનો સૌથી ખતરનાક આતંકવાદી હતો જેણે કાશ્મીરમાં સેના પર ઘણા મોટા હુમલા કર્યા હતા.
હાફિઝ સઈદના નજીકના સાથીઓ અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અબુ કતલ પહેલા લશ્કરના ખતરનાક આતંકવાદી હંઝાલા અદનાન, ડિસેમ્બર 2023 માં કરાચીમાં હત્યા કરવામાં આવી હતી. આતંકવાદી રિયાઝ અહેમદ ઉર્ફે અબુ કાસિમની પણ સપ્ટેમ્બર 2023 માં અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ બધી હત્યાઓ હાફિઝ સઈદ માટે સીધી રીતે મોટો ફટકો માનવામાં આવે છે.