Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પોરબંદરનાં ૫૦૦ ટનનાં વહાણ ‘જમના સાગર’ની જળ સમાધિ

ઇરાનથી પોરબંદર આવતી વખતે તોફાની સમુદ્ર ગળી ગયોઃ નવ ખલાસીને બચાવી લેવાયા,એક સમુદ્રમાં ગરક

aaspassdaily by aaspassdaily
2022-08-11 11:10:21
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પોરબંદરનું એક ૫૦૦ ટનનું વહાણ દુબઈથી ટાયર ભરીને ઈરાન ખાતે માલસામાન ઉતારી પોરબંદર પરત ફરતું હતું ત્યારે લોઢ લોઢ ઉછળતા મોજાના પાણી વહાણમાં ભરાઈ ગયાં હતાં. જેથી આ વહાણે જળસમાધિ લઈ લીધી હતી. આ બનાવમાં એક ક્રૂ મેમ્બર દરિયામાં ગરકાવ થઈ ગયો હતો જ્યારે અન્ય નવ ક્રૂ મેમ્બરોને ત્યાંથી પસાર થતા ગેસશીપના ટેન્કરે બચાવી લીધા છે અને તેઓને દુબઈ લઈ જવામાં આવી રહ્યા છે.
‘જમના શિપિંગ નામની પેઢીની માલિકીનું ‘જમના સાગર’ નામનું ૫૦૦ ટનનું અને અંદાજે પોણા બે કરોડની કિંમત ધરાવતું વહાણ દુબઈથી ટાયર ભરીને ઈરાના ચોબાર બંદરે ગયું હતું અને ત્યાંથી આ માલ ખાલી કરીને પોરબંદર આવી રહ્યું હતું. દસ ક્રૂ મેમ્બર સાથે ઈરાનથી રવાના થયેલું વહાણ તા. ૯/૮ના દોઢેક વાગ્યે પસણી અને ગ્વાદારની વચ્ચે કિનારાથી આશરે ૧૦૦ નોટિકલ માઇલ દૂરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક જ તોફાની સમુદ્રના લોઢ લોઢ ઉછળતા મોજાને લીધે સમુદ્રનાં પાણી વહાણમાં ભરાવા લાગ્યા હતા અને આ વહાણ ડૂબવા લાગ્યું હતું.
વહાણના કેપ્ટને ડૂબી રહેલાં વહાણ વિશેની જાણ તેના માલિકને કરી હતી અને જમના શિપિંગ કંપનીના માલિકે ડૂબી રહેલા વહાણની જાણ મુંબઈ ખાતે આવેલા એમ.આર.સી.સી.(મેરીટાઇમ રેસક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટર)ને કરી હતી. એમ.આર.સી.સી. દ્વારા તપાસ હાથ ધરીને નજીકથી પસાર થતી ગેસશીપ ટેન્કર એમ.ટી. ક્રૂઈબેકને જાણ કરવામાં
આવી હતી અને ડૂબી રહેલા વહાણના ખલાસીઓને બચાવવા જણાવ્યું હતું. આથી આ ગેસશીપ તાત્કાલિક લોકેશન શોધીને ત્યાં પહોંચી ગઈ હતી’ અને તેમના કેપ્ટન દ્વારા યુદ્ધનાં ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. શીપના કેપ્ટને ઓપરેશન હાથ ધર્યું તે દરમિયાન નવ ખલાસીઓને બચાવવા સફળતા મળી હતી પરંતુ શેખ હુસેન અલીમામદ નામનો એક ખલાસી તોફાની સમુદ્રમાં ગરકાવ થઈ ગયો હતો. હજુ સુધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી પરંતુ પતો મળ્યો નથી.

Tags: dubyuporbandarship
Previous Post

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઠેરઠેર તિરંગા યાત્રા નીકળી

Next Post

રૂ.390 કરોડની બેનામી સંપત્તિ જપ્ત:મહારાષ્ટ્રમાં IT વિભાગનું સૌથી મોટું એક્શન

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post

રૂ.390 કરોડની બેનામી સંપત્તિ જપ્ત:મહારાષ્ટ્રમાં IT વિભાગનું સૌથી મોટું એક્શન

રાજકોટમાં 7500 એકમોમાં તપાસ હાથ ધરતા ઝડપી 21 કરોડની વીજચોરી

રાજકોટમાં 7500 એકમોમાં તપાસ હાથ ધરતા ઝડપી 21 કરોડની વીજચોરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.