wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
યમુના નદીમાં બોટ ડૂબી જવાથી મોટી દુર્ઘટના થઈ છે. 20 થી વધુ લોકો ડૂબી ગયા હોવાના અહેવાલ છે. બાંદા ફતેહપુરની સીમમાં માર્કા ઘાટ પર મુસાફરોથી ભરેલી બોટ ડૂબી ગઈ. બાંદા અને ફતેહપુર પોલીસની ટીમ બચાવ કાર્યમાં લાગી ગઈ છે. બોટમાં 25થી વધુ લોકો સવાર હતા. થાણા અસોથરના રામ નગર કૌહાન ઘાટની સામે બોટ ડૂબી ગઈ છે. સ્થાનિક લોકોની મદદથી પોલીસે નદીમાંથી બે બાળકો અને એક મહિલાના મૃતદેહને બહાર કાઢ્યા હતા. પોલીસ અને ગોતાખોરોની મદદથી બાકીના લોકોની શોધ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, યમુના નદીમાં બોટ પલટી ગઈ, તેમાં 25 લોકો સવાર હતા. 5 લોકોએ સ્વિમિંગ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો. પોલીસ અને ડ્રાઇવીંગ ટીમ 20 લોકોની શોધમાં લાગેલી છે. બોટ મારકા ઘાટથી ફતેપુર જઈ રહી હતી. મામલો મારકા પોલીસ સ્ટેશન વિસ્તારના મારકા ઘાટનો છે. અહીં, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બાંદા જિલ્લામાં બોટ દુર્ઘટનાને લઈને જિલ્લા પ્રશાસનને રાહત અને બચાવ કાર્ય હાથ ધરવા સૂચના આપી છે. લોકોને નદીમાંથી બહાર કાઢીને યોગ્ય સારવાર આપવી જોઈએ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બાંદા જિલ્લામાં યમુના નદીમાં બોટ દુર્ઘટનાના સંદર્ભમાં જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા અને બચાવ અને રાહત કાર્ય હાથ ધરવા નિર્દેશ આપ્યો છે. દુર્ઘટનામાં થયેલા જાનહાનિ અંગે શોક વ્યક્ત કરતા તેમણે શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા મેજિસ્ટ્રેટ, ડીઆઈજી, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે જવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે.


