બાબા વેંગા જે દ્રષ્ટિહિન હતા જેની આંખોની રોશની 12 વર્ષની ઉંમરમાં ચાલી ગઈ હતી. એવું કહેવામાં આવે છે કે એ પછી તેમને ભવિષ્ય દેખાતું હતી. એમને ઘણી ભવિષ્યવાણી કરી છે જે સાચી સાબિત થઈ છે. વર્ષ 2022ને લઈને એમને બે ભવિષ્યવાણી કરી હતી જે સાચી થઈ ગઈ છે. એવામાં 2022 માટે એમની ત્રીજી ભવિષ્યવાણી ભારતને લઈને પણ કરવામાં આવી હતી.
બુલ્ગારિયાના ફકીર બાબા વેંગાએ દુનિયા માટે અનેક ભવિષ્યવાણી કરી છે. તેમણે નાસ્ત્રેદમસના લેવલના ભવિષ્યવક્તા કહેવામાં આવે છે. હવે એવુ લાગી રહ્યું છે કે તેમની બે ભવિષ્યવાણી સાચી પડી રહી છે. 2022 માટે તેમની એક ભવિષ્યવાણી એવી હતી કે કેટલાંક એશિયન દેશ અને ઓસ્ટ્રેલિયામાં પૂર આવી જશે. આમ થતુ દેખાઈ પણ રહ્યું છે. ઓસ્ટ્રેલિયામાં આ વર્ષની શરૂઆતમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. અત્યારે ત્યાં પૂર જેવી સ્થિતિ છે.
બાબા વેંગાએ એવુ પણ જણાવ્યું કે વિશ્વમાં ઘણા શહેર પાણીની કમીથી પ્રભાવિત થશે. જે યુરોપમાં થતા દેખાઇ રહ્યું છે. પુર્તગાલમાં પાણીની અછત છે અને ભારે દુકાળ છે. ગરમી એટલી વધારે છે કે અનેક જગ્યાએ જંગલમાં આગની ઘટના સામે આવી છે. તો ઈટાલીમાં 1950ના દાયકા બાદનો સૌથી ખરાબ દુકાળ જોવા મળ્યો છે. બાબા વેંગાની 2022ની બે ભવિષ્યવાણી સાચી પડી રહી છે.
બાબા વેંગાએ કરેલ ભવિષ્યવાણી એવી હતી કે આ વર્ષે આખી પૃથ્વીના તાપમાનમાં ઘટાડો થશે અને તેને કારણે તીડનો પ્રકોપ વધશે. હરિયાળી અને ભોજન માટે તીડ ભારત પર હુમલો કરશે અને તેને કારણે ખેતીને ગંભીર નુકશાન પંહોચશે અને અંતે ભારતમાં દુષ્કાળ જેવી પરિસ્થતિનું નિરનાં થશે. બાબા વેંગાની આ ભવિષ્યવાણી કેટલી સાચી પડશે એ તો ભવિષ્યમાં જ ખબર પડશે.
આ ભવિષ્યવાણી કરી હતી બાબા વેંગાએ…
આ ઉપરાંત બાબા વેંગાએ એવી પણ ભવિષ્યવાણી કરી હતી કે સાઇબેરિયામાંથી એક નવો અને ઘાતક વાયરસ નિકળશે. એલિયન એટેકની પણ તેમણે ચેતવણી આપી હતી. બાબા વેંગાનો જન્મ 1911માં થયો હતો અને 1996માં તેમનુ મોત થયુ હતુ. પરંતુ તેમની ભવિષ્યવાણી આજે પણ ચર્ચામાં રહે છે. જ્યારે વેંગા જીવિત હતા ત્યારે તેમણે પોતાના જીવન અંગે ખુલાસો કર્યો હતો કે એક વાવાઝોડાંએ તેમને ઉડાવીને જમીન પર પછાડ્યા હતા. ત્યારબાદ તેનુ જીવન બદલાઈ ગયુ હતું.